________________
૧૬૨
શ્રી વિમળનાથ ચરિત્ર.
તપસ્યાથી અલીને વધ કરનાર થાઉં. ” જ્યાં સુધી હૃદ પૂર્વે સુવર્ણ વાલા છે ત્યાં સુધી હૃદને એટલે સુહૃદને સ્તવું છું. પરંતુ જયારે તે સુવણુ અપૂર્વ થાય એટલે અ અક્ષર પૂર્વે છે એવા થાય ત્યારે તે અસુહત્ ( શત્રુ ) થઇ જાય છે. પછી તે કેાધવડે શરીરને દમન કરી અંતકાલે અનશન લઈ મૃત્યુ પામી અચ્યુત દેવલાકમાં દેવતારૂ કે ઊત્પન્ન થયા. મલિ પણ દીક્ષા લઇ તેનું ચિરકાળ પાલન કરી સુખની શય્યા રૂપ એવા ઊત્તમ દેવલેાકમાં દેવતા થયેા. ત્યાં અને પ્રકારના સુખ ભાગવી આયુષ્યના ક્ષય થતાં ત્યાંથી દ્રવીને આ ભરતક્ષેત્રમાં આવેલા નંદન નામના નગરમાં યથાર્થ નામવાળે સમરકેશરી નામે રાજા થયેા. સુદર આકૃતિને ધારણ કરનારી સુ'દરી નામે તેને ૫ત્ની હતી તેણીના ઉદરમાં લિને જીવ અવતર્યાં. તે જન્મ્યા પછી અનુક્રમે પિતાસમરકેશરીએ પેાતાના મુખથી તેનું નામ મેરાક પાડયું. તે અનુક્રમે સાઠ ધનુષ્યની કાયાવાલા, સાઠ લાખ વના આયુષ્યવાલા અને રાજાઓને નમાડનારી પ્રતિવાસુદેવ થયા. ત્રણ ખડાના ભેાકતા અને સંપત્તિને જોડનારે તે પ્રતિવાસુદેવ મેક પેાતાના દોષોના સમૂહને છેડી એક છગવાળું અને સન્મિત્રાવાળું ક્ષગિય રાજ્ય કરવા લાગ્યા.
આ અરસામાં આશ્ચર્યાંના વિલાસવાળા આ ભરતક્ષેત્રમાં શત્રુએથી નમાવી શકાય નહીં તેની દ્વારિકા નામે નગરી હતી. તેની અંદર કલ્યાણાના વિલાસ કરનારે રૂદ્ર નામે મહાન રાજા હતા. તેને સુપ્રભા અને પૃથિવી નામે બે ઉત્તમ સ્ત્રીએ હતી. પેલેા જે ન દિ સુમિત્ર હતા તેને જીવ અનુત્તર વિમાનમાંથી ચીને ઉત્તમ પ્રભાવતી સુપ્રભા રાણીની કુક્ષિમાં અવતર્યાં. તે સમયે ચતુર સુપ્રભા રાણીએ બલદેવના જન્મને સૂચવનારા, દુઃખને વારનારા અને અને આપનારા ચાર મહાસ્વપ્ને અવલેાકયા. પછી અનુક્રમે તે સુપ્રભા રાણીએ ઉત્તમ લગ્ન -મુખના ચેગવાળા શુભદિવસે પવિત્ર અને કાંતિથી ઉજવળ એવા પુત્રને જન્મ આપ્યો. રૂદ્ર રાજાએ તે પુત્રનું નામ ભદ્ર પાડયું. રૂદ્રમાંથી ભદ્ર ઉત્પન્ન થાય એ અહિં આશ્ચય બન્યું હતું. પેલા જે ધનમિત્ર હતા તેને જીવ જનમિત્રના સ્નેહને લઇને અચ્યુત દેવલાકમાંથી ચવીને રૂદ્ર રાજાની બીજી પૃથ્વીરાણીના ગર્ભ માં આવ્યે સુખે સુતેલી પૃથ્વી રાણીએ વાસુદેવના જન્મને સૂચવનારા અને દુઃખમાંથી મુકાવનાર સાત મહાસ્વપ્ના જોયાં. સમય પ્રાપ્ત થતાં પૃથ્વી રાણીએ શ્યામ અંગવાળા, શુભ લક્ષ @ાથી યુક્ત અને ઉત્તમ ચાતુર્ય ભરેલા ઐશ્વથી પ્રખ્યાત એવા એક પુત્રને જન્મ આપ્યા. રૂદ્ર રાજાએ હર્ષ પામી સજ્જનેાને રાજી કર્યાં અને વિધિવડે તે પુત્રનું નામ
સ્વયં'ભૂ પાડયું'. લીલા અને પીળા વસ્ત્રોને ધારણ કરનારા તે ભદ્ર અને સ્વયંભૂ બને પુત્રા હવડે ધાત્રીએ (ધાન્યેા) થી પાલન થતાં અને લેાકેાથી લાલન પામતાં ઉછરી મોટા થવા લાગ્યા. શ્વેત અને કૃષ્ણુ વ વાળા તે અને ચિરંજીવી ગંગા અને યમુનાન પ્રવાહાની જેમ હુંમેશાં સાથે રહેતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org