________________
૨૦૨
શ્રી વિમળનાથ ચરિત્ર, જે પુરૂષ સ્ટાચારી અને ધ્રુવ દર્શનવાળા હોય છે તે ઉત્તરકાકાને ભજે છે, પણ અપર બીજી પૂર્વાશાને ભજતા નથી. જે વિશ્વમાં ત્રાષિ થઈને પણ દક્ષિણશાને છેડતા નથી, તે ક્ષમાધારી થઇ વૃદ્ધિ પામતા નથી. પણ અંદર ખારો અને લક્ષ્મીને જનક થાય છે. જે ત્રણ જગતના જીવોની જેમ મારું તારું કરતું નથી–સમસર્વત્ર સમભાવને ધારણ કરે છે. તેવા ( સમભાવી) નું દર્શન થતાં લોકો આત્માને સારી રીતે જાણ નારા થાય છે, એ આશ્ચર્યની વાત છે. જે આ લેકમાં 'મુકિતને સેવે નહીં તેને પરલેકમાં તે મુકિત કયાંથી હોય ? કારણ કે, લેકે સેવન કરેલી વામાં પરલેકમાં સાથે રહેનારી થાય છે. હે મુનિ, અહિં તું ક્ષમાભૂત થયો છે તો હવે અતુલ્ય એવી ક્ષમાને ધારણ કર્યું. સુત્રના અર્થને ધારણ કરનારા સાધુઓનું પદ ઉચ્ચ છે. જે વિક્રમ છોડવામાં આવે તે મોક્ષમાર્ગમાં ૯ વિકમરૂપ બને છે, તેથી તે વિકમ મન, વચન અને કાયાના ચોગમાં જ જન નામને અર્થે નિરાશી ભાવે નિસ્પૃહપણે) કરે. હે મુનિ, દ્રવ્ય વિગેરેને પ્રતિબંધ છે તમારે વિહાર કર્યા કરે. કારણકે, પ્રતિબંધ રાખવાથી શરીરને કલેશ થાય છે અને પાપનો લેશ પ્રાપ્ત થાય છે. ઉત્કૃષ્ટ ગુણેમાં અને બીજાના ગુણમાં મત્સર કરશો નહીં. તેમ સ્વગુણ-આત્માના ગુણનો અને પોતાના ગુણનો ઉત્કર્ષ જણાવશો નહિં.” આ પ્રમાણે ગુરૂનાં વચનને ગ્રહણ કરી તે પદ્મસેન મુનિએ ઘોડા દિવસમાં પાઠથી અને અર્થથી સર્વ સિદ્ધાંતનું અવલોકન કર્યું. તે
૧ સદાચારી એટલે સારા આચારવાળા અને ધ્રુવ-નિશ્ચળ દર્શનવાળા હોય, તે ઉત્તરકાશ ઉંચી દિશા-સ્થિતને ભજે પણ બીજી પુર્વાશા-પહેલાની આશા રાખતા નથી. જે સદાચાર સદા ગતિ કરનાર ધ્રુવના તારાનું દર્શન ઉત્તરકાકા-ઉત્તર દિશામાં થાય છે, પુર્વ દિશામાં થતું નથી.
૨ જે રૂષિમુનિ થયા પછી પણ દક્ષિણશા–દક્ષિણ લેવાની આશા રાખે છે તે ક્ષમાધારી ક્ષમાને ધરનાર સાધુ થયા છતાં વૃદ્ધિ પામતો નથી પક્ષે જે રૂષિના તારે દક્ષિણ દિશામાં ઉગે છે, તે ક્ષમાધારી પૃથ્વી ઉપર આવવાથી વૃદ્ધિ પામતા નથી. આગળ વધતા નથી. પણ તે અંદર બારો-ખારા જળવાળો અને લક્ષમીનો પિતા સમુદ્ર બને છે.
૩ અર્થાત જે ત્રણ જગતમાં કેદને પિતાનું કે પારકું જાણતો નથી, તેવા મહાત્માના દર્શનથી બીજા લોકો પણ આત્મભાવ-પરભાવ જાણી શકે છે, એ આશ્ચર્યની વાત છે.
૪ જે આ લોકમાં મુકિતને સંતેષ-નિર્લોભતા-નિષ્પરિગ્રહતાને સેવે છે–આદરે છે, તેને પરલોકમાં મુકિત-ક્ષ મળે છે. આ લોકમાં સાથે રહેલી સ્ત્રીઓ પરલોકમાં પણ સાથે રહેનારી થાય છે.
૫ ક્ષમાભૂત-ક્ષમાને ધારણ કરનાર પક્ષે પર્વત ૬ ક્ષમા- ક્ષમાગુણ પણે પૃથ્વી. ૭ સુગોત્ર-સારૂં ગોત્ર કુલપક્ષે પર્વત. ૮ વિકમ-વિશેષ મતિ. ૯ વિક્રમ પરાક્રમ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org