SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિમળનાથ ચરિત્ર, કદિપણ અપ્રાસુક આહારાદિ ગ્રહણ કરવા નહિ. એ ષણા સમિતિ વાલા મુનિ ધરૂચિ નામના મુનિની જેમ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ વડે વિરૂદ્ધ એવું અશનાદિ ગ્રહણ કરતા નથી. ધર્મચિ મુનિની કથા - કેઈએક ગચ્છમાં નામથી અને ગુણથી ધર્મરૂચ નામના સનિ હતા. તેમનું હૃદય સદાચારનો વિચાર કરવામાં ચતુર હતું. તેઓ ગ્રીષ્મઋતુમાં અઠ્ઠમ વિગેરે તપ કરી અભિગ્રહને ગ્રહણ કરવામાં આદરવાલા થઈ અને ઇંદ્રિયનો જય કરી પરિષહોના સમૂહથા પિતાના આત્માને આતાપના આપતા હતા. એક વખતે બીજે ગામ વિહાર કરી જતા એવા તેઓ કઈ જંગલમાં આવી ચડયા. ત્યાં સુધી અને તૃષાની બાધાથી તેમના પ્રાણ કંઠે આવી ગયા. આ વખતે તે જંગલમાં કેઈ વ્યંતરી વનદેવીએ બે વક્રિય પુરૂષે ઉત્પન્ન કર્યા. તેમાં એકના હાથમાં કાંજથી ભરેલું તુંબડું વિકવ્યું, તે પુરુષે બીજા પુરૂષને કહ્યું, “અરે ભાઈ, આ કાંજી પી જા” “હું તૃષાતુર નથી” એમ તેણે જવાબ આપે. પછી તે બોલ્યો, “આ કાંજીને ભારે કોણ ઉપાડશે?” ત્યારે પેલાએ કહ્યું “આ સાધુને આપીદે, અથવા જમીન ઉપર ફેંકી દે, મારે ફરીવાર તે કાંજીનું કાંઈ કામ નથી.” તે સાંભળી તેણે ધર્મરૂચિ મુનિને કહ્યું, “જે તમારે કામ હોય તો આ કાંજી . આ તૃષ (છાલ્લા) નું પાણી છે, જેથી તમારે છોડી દીધેલા ભિક્ષાના આહાર જેવું થશે.” પછી તે મુનિએ તેને ઉપયોગ આપી જોઈ તે કેવું દ્રવ્ય છે, તેને વિચાર કર્યો. તત્કાળ મુનિએ વિચાર્યું કે, “આ કાંજીમાં ખુશબે આવે છે, તેથી તે કાંજી નથી વળી ગ્રીષ્મઋતુમાં પુપિકા વગર આવું કાંઇક મલવું મુશ્કેલ છે.” આવું વિચારી તેણે તે બંને પુરૂષનું દ્રષ્ટિથી આદર પૂર્વક અવલોકન કર્યું. ત્યાં તે બંને નરો અનિમેષ દ્રષ્ટિવાલા અને જેમના ચરણ જમીનને લાગેલો નથી એવા જોવામાં આવ્યા. તે ઉપરથી અભ્યાહત વિગેરે દેષ મુનિને ભય લાગે. એટલે તે તેમણે ગ્રહણ કર્યું નહિં. તે સમયે તે વ્યંતરી પ્રત્યક્ષ થઈ અને તેણીએ મુનિને કહ્યું કે, “જેણે પિપાસાનો પરીષહ જીત્યા છે, એવા તમને ધન્ય છે.” આ પ્રમાણે મુનિની સ્તુતિ કરી અને નમસ્કાર કરી તે દેવી અદશ્ય થઈ ગઈ, પછી તે ધર્મરૂચિ મુનિ અહંકાર રહિત થઈ પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. તે વિચક્ષણમુનિ, આવી રીતે તમારે એષણ સમિતિ પાળવી કે જેથી શુદ્ધ આહારના સેવનથી તમારી કાયાની શુદ્ધિ થાય. - જે વસ્તુદષ્ટિથી જોઈને અને પછી હરણ વિગેરેથી પુંજીને લેવામાં આવે અને મુકવામાં આવે, તે ત્રીજી આદાનસમિતિ કહેવાય છે. તે આદાનસમિતિને નહીં પાળ ૧ આંખના પલકારા ન થાય તેવી દષ્ટિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy