________________
આચાર્ય પધાર્યા. રાજા આચાર્ય મહારાજને વંદન કરવા ગયા જ્યાં આચાર્ય મહારાજ ધમદેશના આપે છે. તેથી વૈરાગ્યથી રાજાનો આત્મા રંગાતાં રાજા ચારિત્ર લે છે. ઉત્તમ રીતે સંયમ પાળતાં રાજા પંચત્વ પામવાથી પાંચ અનુત્તર વિમાનમાં મહાન દેવરૂપે ઉત્પન્ન થાય છે.
. આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં શ્રાવસ્તી નામે નગરી છે, તેને ધનમિત્ર નામે રાજા છે. એક વખત તેનો મિત્ર બલીરાજા ત્યાં આવે છે. બંને મિત્રો પોતપોતાના રાજ્યને દાવ મુકી જુગાર રમતાં ધનમિત્ર પિતાનું રાજ્ય હારી જાય છે, જેથી ધનમિત્રને બલીરાજા રાજ્યમાંથી કાઢી મુકે છે. તેની રાણીઓ પણ પિતાના પીયર જાય છે. રાજા ધનમિત્ર બહાવરો બની ગયો છે, અને વનમાં ભમતાં ભમતાં એક દિવસ સુપાત્ર મુનિને જોયા અને મુનિશ્રીને વંદના કરી મુનિએ તેને ધર્મોપદેશ આપવા માંડે. મુનિરાજ પાંચ પ્રકારના પુરૂષોનું દષ્ટાંત તેના ઉપનય સાથ આપે છે, જેથી રાજાએ પોતાને રાજ્ય મળશે કે નહિં તે પૂછતાં જ્ઞાની મુનિ જ્ઞાનથી જોઈ રાજ્ય નહીં મળે તેમ જણાવતાં રાજાને વિરાગ્ય ઉત્પન્ન થતાં મુનિ ધનમિત્રને દીક્ષા આપે છે, અને પછી મુનિરાજ ઉપદેશ આપે છે કે હે શિષ્ય! તેં ચારિત્ર ગ્રહણ કર્યું છે માટે હવે તું રાગદ્વેષ કરીશ તો લક્ષ્મીધર વગેરેની જેમ સંસાર તરી શકીશ નહિં. અહિં કૃપાળુ મુનિ લક્ષમીધર વગેરેની કથા કહે છે. અહિં લક્ષ્મીધર, સુંદર, અહંત અને નંદ એ ચાર ભાઈઓ કે જે વરૂણ નામના શ્રાવક શેઠના પુત્ર છે. તેના ઘરમાં ચારિત્રના સિદ્ધાંત વગેરે સિન્યાએ તેના ઘરમાં વાસ કરેલે જાણે મહારાજા ચિંતાતુર થાય છે અને વરૂણશેઠના ચારે પુત્રને દૃષ્ટિરાગ, નેહરાગ અને વિષયરાગ પ્રથમ ત્રણ પુત્રને અને છેલ્લા નંદને દ્વેષ કુંજર પોતાની જાળમાં ફસાવે છે. પછી વરૂણશેઠ તેના પુત્રને જિનેશ્વર ભગવાન અને તેના ધર્મ ઉપર રાગ કરવા અને સંસાર ઉપર નહિં કરવા પ્રથમ પુત્રને ઉપદેશ કરે છે. તે માનતું નથી, પછી સુંદર નામને બી જે પુત્ર રાગી પુરૂષને શું સુખ હોય છે, તેના ઉપર લેભાકર અને લેભાનંદીની કથા કહે છે. અવાંતર સુંદર સ્રરાજાના પુત્ર જયચંદ્રની કથા કહે છે. પરંતુ તે પુત્ર રાગને છેડત નથી, પછી વણશેઠ ત્રીજા પુત્રને પણ રાગ છોડવા ઉપદેશ આપે છે. તે પણ માનતો નથી, પછી શેઠ ચોથા પુત્ર નંદને દ્વેષ ત્યાગવા ઉપદેશ કરે છે તે પુત્રે પણ દ્વેષને તપે નહીં. જેથી વરૂણશેઠને સંસાર ઉપર અભાવ ઉત્પન્ન થાય છે. જેવામાં ઉદ્યાનમાં શ્રી વિજયકેવળી ગુરૂમહારાજ પધાર્યા, તેમને વંદના કરવા વણશેઠ ત્યાં આવે છે. વરૂણશેઠ પોતાની અશાંતિ (અનિતિવાળા પુત્રે) ની હકીકત કહી સંભળાવે છે. કેવળી ભગવંત વરૂણશેઠને પોતાના ઘરમાં મહારાજા છે તે જ તેમના પુત્રને કુબુદ્ધિ આપે છે. તે મહારાજાનો બધો વૃત્તાંત કેવળીભગવંત વણશેઠને જણાવે છે. અહિં ચારિત્ર ધર્મ અને મહારાજાનું સ્વરૂપ ( રાગદ્વેષનું સ્વરૂપ) અને વરૂણશેઠના તે ચારે પુત્ર ઉપર કેવી અસર કરે છે તે વિવેચન.પા. ૨૪૧ પા. ૨૬૧ સુધી આવેલ છે, જે રસયુક્ત, સુંદર, બોધ લેવા લાયક અને અવશ્ય મનન કરવા જેવી છે. વરૂણશેઠ કેવળી મહારાજનો ઉપદેશ સાંભળી ઘેર જઈ સાત ક્ષેત્રમાં ધન વાપરી પિતાની સ્ત્રી સાથે તે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org