SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ શ્રીવિમળનાથ ચરિત્ર, પાન કરી તે દુર્ભાગ્યે પિતાનું કૃષ્ણત્વ છે દીધું, તથાપિ તેણે ગેપાલ પણું મેળવ્યું, તેનું કારણ ગુરૂ નેહજ છે. એક વખતે દ્વરથી ચારેએ આવી તે નિર્ભાગ્યને ભેંસેની સાથે પકડ અને લીલી વાધરીથી તેને બાંધી એક વૃક્ષ નીચે મુકી દીધું. ત્યાં તે સુધા. તૃષા અને ભયથી આકુલ– વ્યાકુલ થઈ સાત રાત્રિ સુધી રહ્યું. પછી ભવિતવ્યતાને યોગે તેને શરીરે બાંધેલી વાધરીને કઈ શીયાળ આવીને ખાઈ ગયું, એટલે તે બે પ્રકારે મુત્કલ-મોકલે થઈ ગયે. પછી ત્યાંથી છુટીને ગામમાં આવ્યા. ત્યાં પિતાના હૃદયમાં રહેલે ચારેને વૃત્તાંત દત્તને નિવેદન કર્યો. પછી મનહર વર્ષાકાલ આવ્યું, એટલે દત્તે તે નિર્ભાગ્યની પાસે ઘાસની ખેતી કરાવી, પણ તે સમયે વરસાદ જ આવ્યો નહીં, એટલે પૃથ્વી પર ઘાસ પણ થયું નહીં. એક વખતે દરે તેને કપાસ લેવાને માટે કે સારા શહેરમાં મોકલે, ત્યાંથી પાછા વલતાં વિકટ માગે અગ્નિ લાગવાથી તેનું ગાડુંજ બલી ગયું. પછી તે નિર્ભાગ્ય કેટલેક દિવસે દત્તની પાસે આવ્યો. ફરીવાર દત્તે તેને દ્રવ્ય આપીને સમુદ્ર માર્ગે મેક પ્રમાદને લઈને તેનું વહાણ સમુદ્રની અંદર ભાંગી ગયું. ત્યાં એક વહાણનું પાટીયું મેલવી સાત દિવસે તે સમુદ્રને કાંઠે આવી પહોંચ્યો. જ્યારે દેહ સાર થયે, એટલે તે અનુક્રમે ત્યાંથી વ્યાધ્રનગરમાં આવી પહોંચ્યા. ત્યાં રાત્રે કોઈ નિર્જન દેવાલયમાં સુઈ રહ્યો. તે અરસામાં શરીરની શોભાથી સુંદર એવા તે નગરના વ્યાધ્રદમન રાજાને અનુ ત્ય સવાલા વિંધ્યનગરના સમરસેન રાજાની સાથે વિગ્રહ ચાલતો હતો, તેથી તલારક્ષક–પોલીસ લોકોએ તે સુતેલા નિર્ભાગ્યની ઉપર એક હેરૂની શંકા લાવી તેને પકડી લીધે. રાજાની આજ્ઞાથી તેઓએ તેને બલાત્કારે કારાગૃહમાં નાખ્યો. તે નિરપરાધી હતો તેપણ મજબુત બેડીઓથી તેના પગ બાંધ્યા. ત્યાં તે એક વર્ષ સુધી રહ્યા. કારાગૃહમાં તેને કઈવાર માસે કે પખવાડીએ અહાર મલ, તેથી તે મુવા જેવો થઈ ગયો. કારાષ્ટ્રહના ચાકીદારો તેને મરી ગયેલ જાણી સ્મશાને લાવીને મુકી ગયા. ત્યાં શીતળ પવનને લઈને તેનામાં જરા ચેતન આવ્યું. દેવગે તેને કરંભાથી ભરેલું એક રામપાત્ર મલી ગયું. તેને આહાર કરી તે ત્યાંથી આગળ ચાલતે થયે. માર્ગમાં ચાલતા તેને વિચાર આવ્યું કે, “ જ્યારે હું ગર્ભમાં હતું ત્યારે મારા પિતા પૂર્વે મૃત્યુ પામ્યા અને ઘરમાં થી બધું ધન નાશ પામ્યું, બાલ્યવયમાંજ મારી માતા મરી ગઈ, વલી મારા પિતાના મિત્રે મને જે જે ઉગ કરાવ્યું, તે તે મારે ઉદ્યોગ નિષ્ફલ થયે. જે ઉદ્યોગથી સર્વેને સંપત્તિઓ થાય છે, તે ઊદ્યોગથી મને ઊલટી વિપત્તિ થઈ આવી. જેને અમૃત વિષરૂપ થઈ જાય, તેને માટે બીજો શે ઊપાય? આ લેકમાં ઘણા માણસો હજાર માણસોના પિટ ભરનારા હોય છે, ત્યારે મારું એકનું પેટ ભરવામાં પણ વિધિએ મને વંચિત રાખે. ૧ મુકલમોકલો અને હર્ષિત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy