SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ७४ શ્રી આત્મપ્રબંધ તેને અધર્મીજનોનો સહવાસ થયો હતો. પિતાની સમાન વયના રાજપુત્રો તથા ક્ષત્રિય પુત્રોની સાથે તે શિકારની વાર્તા કરતો હતો. તે ધર્મની વાર્તા જાણતો નહિ તેમ સાંભળતા પણ નહિ. તે આ રીતે પિતાને કાળ નિગમન કરતો હતો. - હવે પેલા વિમાનને વિષે નવો હરિણમેષીદેવ ઉત્પન્ન થયા. ઉત્પત્તિ સમયે જ પૂજા આદિ કરણી કરવા યોગ્ય છે, તે કરી તે સુધર્મા ઈન્દ્રની સભામાં સેવાને માટે આવ્યો. તેને દેખી ઈન્ડે પૂછયું કે, “તું નવો ઉત્પન્ન થયો છે?” તેણે હા કહી એટલે ઈન્ડે તેને આજ્ઞા કરી કે, તારા સ્થાન ઉપર થયેલા પહેલાના હરિણગમેથીદેવને તારે પ્રતિબંધ કરો." ઈન્દ્રની આ આશા તેણે અંગીકાર કરી. તે પછી તે પોતાને સ્થાને ચાલ્યો ગયો. એક વખતે હરિણગમેથી પોતાના વિમાનની દીવાલ ઉપર પેલા અક્ષર અવલક્યા. તે વાંચી તેણે એક પત્ર લખ્યું. તેમાં નીચે પ્રમાણે લેક લખ્યો હતો. " स्वभित्तिलिखितं वाक्यं, मित्र त्वं सफली कुरु । રિષિ વાિ, સંસાર વિશ્વમં ચર” ? | હે મિત્ર, તારા વિમાનની ભીંતે લખેલું વાક્ય તું સફળ કર. અને હરિણગમેષીદેવ કહે છે કે, આ વિષમ સંસારને છેડી દે.” (૧) આ શ્લોક લખી તેણે પિતાના એક સેવકને બેલાવી કહ્યું કેઃ “આ પત્ર તારે દેવદ્ધિને આપવો.” એમ કહી તે સેવકને વિદાય કર્યો. તે સેવક જ્યાં દેવદ્ધિ હતો ત્યાં આવ્યું. અને આકાશમાં રહી તે પત્ર તેની પાસે નાંખે. દેવદ્ધિએ આકાશમાંથી પડતા તે પત્રને દેખી લઈને વાં, પણ તેનો અર્થ તેના સમજવામાં આવ્યો નહિ. તે પછી કેટલોક સમય વીતી ગયો. પછી પેલા દેવતાએ સ્વમમાં આવી તેને એ લેક કહ્યો, તે પણ દેવદ્ધિ પ્રતિબંધ પામે નહિ. એક વખતે દેવદ્ધિ શિકાર કરવા નીકળ્યો હતો. કોઈ અટવામાં આવતાં એક વરાહ તેની નજરે આવ્યો. તત્કાળ તેણે પિતાના ઘડાને વરાહની પાછળ દોડાવ્યો. વરાહની પાછળ અટવીમાં દૂર ચાલ્યા ગયે, તેવામાં પેલા હરિણગમેલી દેવે તેને ભય બતાવ્યો. એક કેશરીસિહ ઊભો છે અને પાછળ મોટી ખાડ છે, તે ખાડની બે પડખે બે મોટા વરાહ ઘેઘુર શબ્દો કરતા ઊભા છે. નીચે ધરતીકંપ થાય છે અને ઉપરથી પથરાનો વરસાદ પડે છે. આ પ્રમાણે મૃત્યુના ભયને ઉત્પન્ન કરનારા કારણેને દેખી તે દેવદ્ધિ ભયથી વ્યાકુળ થઈ ગયે. અને ચારે દિશા તરફ જોવા લાગ્યો. તેણે તરફ જોયું પણ કોઈ તેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy