SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ 33 ક્ષીરનું પાત્ર ભરી તેમને વ્હેારાવા આવી. તે વખતે પાત્રમાંથી એક બિંદુ ભૂમિ ઉપર પડ્યો. તે મુનિના જોવામાં આવ્યા. તે મહાત્મા ભગવંતે ઉપદેશ કરેલા ભિક્ષાગ્રહણના વિધિને જાણનારા હતા. ભિક્ષા ખેડતાલીસ દેષોથી દૂષિત ન હાવી જોઇએ, એમ તેએ સમજતા હતા. આથી તે પડેલા બિંદુ જોઈ તેમના મનમાં સ્ફુરી આવ્યુ કે, “આ ભિક્ષા છદિત નામના દોષથી દૂષિત છે, તેથી આ ભિક્ષા મારે કલ્પે નહીં. ” આવુ* વિચારી તે મહાત્મા તે ભિક્ષા ગ્રહણ કર્યાં વગર તે ઘરમાંથી બહાર નીકળી ગયા. ચતુર મત્રી વાત્તક કે જે ઘરના દીવાનખાનામાં બેઠા હતા, તેણે મુનિને ભિક્ષા લીધા વગર પાછાં જતાં જોયાં. તે જોતાં જ મનમાં ચિતવવા લાગ્યા કે, આ મુનિએ મારા ઘરની ભિક્ષા કેમ લીધી નહીં ! જેવામાં તેણે આ પ્રમાણે જોયુ, ત્યાં આંગણામાં થી સાથે મિશ્રિત ખાંડના બિંદુ જોવામાં આબ્યા, તે ઉપર માખીઓ એકઠી થઈ. તે માખીઓને ભક્ષણ કરવાને ગરેાળી દાડી. તે ગરેણીનું ભક્ષણ કરવા ઉંદર દાડ્યો. ઉંદરને મારવા માટે બિલાડી દાડી આવી. બિલાડીને હણવા માટે પેલા આવેલા યજમાનના કૂતરા ઢાળ્યો. તેને મારવાને આડેાશી પાડેાશીના કૂતરા દેાડચા. તે કુતરાઓને પરસ્પર લડાઈ થઈ એટલે પોતપાતાના કૂતરાઓને વારવાને તે યજમાનના અને આડેાશી પાડેાશીના તથા મ`ત્રીના સેવા દેાડી આવ્યા. પેાતાતાના કૂતરાઓના પક્ષ કરતાં તેમની વચ્ચે પરસ્પર લડાઈ સળગી ઉઠી. પછી વાત્તક મ`ત્રીએ એ સર્વના યુદ્ધને શાંત કરી દીધું. પછી તેણે પોતાના મનમાં વિચાર્યુ કે, “ એક ધી ખાંડના બિંદુ ભૂમિ ઉપર પડવાથી આટલી બધી મારામારી થઈ પડી, તેથી જ તે મહામુનિએ આ દૂષિત ભિક્ષા ગ્રહણ કરી નહીં. તે મહાત્માએ વિચાયુ` હશે કે જો હું આ દૂષિત ભિક્ષા લઈશ તે! મને માટા પાપના ભાગ લાગી જશે. કારણ કે, આમાંથી પાપના પ્રસંગ ઉત્પન્ન થયા વિના રહેશે નહીં. ” આ પ્રમાણે વિચાર કરી દૂષિતભિક્ષા ગ્રહણ કરી નહિ. તે પછી વાત્તક મંત્રીએ નીચે પ્રમાણે જૈનધર્મની પ્રશંસા કરી હતી. 64 પ્રથમ પ્રકાશ “ અહા ! ભગવાન જિનેશ્વરના સુદૃષ્ટિવાળા ધર્માં કેવા છે? વીતરાગ ભગવાન વિના આવા પાપરહિત ધમના ઉપદેશ દેવાને કાણુ સમ છે ? માટે મારે પ હવે વીતરાગ પ્રભુના ધમ ને ત્રિકરણ શુદ્ધિથી સેવવા. એ વીતરાગ ભગવાન જ મારે સેવવા યાગ્ય છે, અને તેમણે કહેલી ક્રિયાજ પાળવી ઉચિત છે, આ પ્રમાણે ચિંતવી તે મંત્રી આ સૉંસાર ઉપરથી વિમુખ થઇ ગયા. તેનામાં શુભ ધ્યાનના યાગ પ્રગટ થયા. તત્કાળ તેને જાતિસ્મરણ જ્ઞાન થઈ આવ્યું, તે વખતે "" ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy