SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકાશ ૨૯ તે લોકે આગમ ઉપર દષ્ટિને બંધ કરી સ્વચ્છ દે વનારા અને સ્વકપલકલ્પિત માગે ચાલનારા છે. તેમનું આચરણ ગૃહસ્થના કરતાં પણ નઠારું છે, તેઓ કાચું પાણી પીએ છે, માથે તેલ ઘાલી મુંડાવે છે, કાચા પાણીએ ન્હાય છે, વસ્ત્રો ધોવરાવે છે, ગુપ્ત રીતે સ્ત્રી સેવન કરે છે, અને લેકોમાં પોતાને બ્રહ્મચારી કહેવરાવે છે, ઉપાન પ્રમુખ પહેરે છે અને મઠધારી થઈ રહે છે. પાસસ્થા, ઉસન્ના, કુશીલિયા, સંસત્કા, યથાશૃંદા એ પાંચ જિનમતમાં અવંદનીય કહેલા છે. મહાવીરપ્રભુના વેષની વિડંબના કરનારા, મંદ અને અજ્ઞાની એવા કુગુરુને વજેવાથી ત્રીજી શ્રદ્ધા પ્રગટે છે. ૪ થી શ્રદ્ધા કુદર્શનને ત્યાગ કરવારૂપ છે. કુદર્શન એટલે જેન સિવાય બૌદ્ધ વગેરેના દશને તેનો ત્યાગ કરવાથી સમ્યક્ત્વની ચેથી શ્રદ્ધા કહેવાય છે. એ ચાર શ્રદ્ધા ઉપરથી પુરૂષમાં સમ્યકત્વની પ્રતીતિ થાય છે. સમ્યગદશનવાળા પ્રાણીઓએ પોતાના આત્માના ગુણોને નિર્મળ કરનારી એ પરમાર્થ પરિચય વગેરે ચાર શ્રદ્ધાઓને નિરંતર ધારણ કરવી. તેમાં ખાસ કરીને ચોથી શ્રદ્ધામાં કહેલા કુદશનવાળા પુરૂષોનો સર્વથા ત્યાગ કરવાનો છે. કારણ કે, તે પિતાના દશનની મલિનતાના હેતુરૂપ છે. જે કુદનીને સંગ ન વજે તો જેમ ગંગાનું જળ લવણ સમુદ્રના સંસંગથી તત્કાળ ખારૂ થઈ જાય છે, તેમ સમ્યગૃષ્ટિના ઉંચા ગુણો તેવા કુગુરુના સંસર્ગથી તત્કાળ નાશ પામી જાય છે, તેથી સર્વથા તેમનો સંસંગ વર્ષ; એ જિનેશ્વરને ઉપદેશ છે. ત્રણ લિંગની વ્યાખ્યા. ૧ શુશ્રષા–એટલે સાંભળવાની ઈચ્છા. સદજ્ઞાનના હેતુરૂપ એવા ધર્મશાસ્ત્ર સાંભળવા ઉપર પ્રીતે. સાકરના સ્વાદથી પણ વધારે મધુર અને યુવાન અને સુંદર સ્ત્રીઓથી પરિવૃત્ત થઈ દિવ્ય ગીતને સાંભળવાની ઈચ્છાવાળા ચતુર પુરૂષને જેવો રાગ થાય, તેવી રીતે ધમ સાંભળવાનો આત્માનો જે અધ્યવસાય તે શુશ્રષા નામે સમ્યકત્વનું પહેલું લિગ–ચિહ્ન છે. જ્યારે ભવ્ય જીવને સમ્યકુત્વ પ્રાપ્ત થયું હોય ત્યારે એવા પરિણામ થાય છે. ૨ ધર્મરાગ–ચારિત્રાદિ ધર્મને વિષે રાગ તે ધર્મરાગ નામે બીજું ચિહ્ન કહેવાય છે. એટલે કોઈ મોટી અટવીનું ઉલ્લંઘન કરી આવેલો અને સુધાથી જેનું શરીર ક્ષીણ થઈ ગયું છે, એવો બ્રાહ્મણ જેમ ઘેબર ખાવાની ઈચ્છા કરે તેમ સમ્યકવવાળો જીવ કોઈ કમદોષથી સદનુષ્ઠાનાદિ ધર્મ કરવાને અશક્ત હોય પણ તેને ધમને વિષે તીવ્ર અભિલાષ હોય છે, તેવું ધમરાગનું ચિહ્ન કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy