SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ શ્રી આત્મપ્રબોધ દેવતાની આજ્ઞાથી, ૫ દુલભ આજીવિકાથી અને ૬ મોટા મહાન પુરૂષના આગ્રહથી કાંઈ કરવું પડે તે આગાર કહેવાય છે, તે ઉપર પ્રમાણે છ પ્રકારના આગાર છે. છ ભાવના. ૧ આ સમ્યકત્વ ચારિત્રધર્મનું મૂળ છે, ૨ આ સમ્યક્ત્વ ચારિત્ર ધમનું દ્વાર છે, હું આ સમ્યકત્વ ચારિત્રધર્મનો સ્તંભ છે, કે આ સમ્યકત્વ ચારિત્રધર્મનું આધારભૂત છે, એ આ સમ્યક્ત્વ ચારિત્રધર્મનું ભાન છે અને ૬ આ સમ્યકત્વ ચારિત્રધર્મનું નિધાન છે. આ પ્રમાણે શાસ્ત્રમાં કહેલ છે, તેનું ચિતવન કરવું, તે છ ભાવના કહેવાય છે. સ્થાનક. ૧ જીવ છે, તે જીવ નિત્ય છે. ૩ તે જીવ કર્મો કરે છે, તે કરેલા કમને ભોગવે છે. મોક્ષ છે અને ૬ મોક્ષને ઉપાય છે. એવી અતિ (છે) પણે શ્રદ્ધા કરવી તે છ સ્થાનક કહેવાય છે. આ પ્રમાણે સડસઠ ભેદે કરી સમ્યકત્વ નિમળ હોય છે. તે સમ્યકત્વના સડસઠ ભેદોનું સવિસ્તર વિવેચન ચાર શ્રદ્ધાનું સ્વરૂપ. ૧ પરમાર્થ સંસ્તવ એટલે જીવ, અજીવ, પુણ્ય, પાપ વગેરે તાત્વિક પદાર્થોનો પરિચય, અર્થાત્ તેના સ્વરૂપ જાણવાને વિશેષ ઉદ્યમ, રટણ, બહુમાન પૂર્વક જીવાદિ પદાર્થોને વિષે જે નિરંતર અભ્યાસ તે પ્રથમ શ્રદ્ધા કહેવાય છે. ૨ પરમાર્થને જાણનારાની સેવા એટલે પરમાર્થને જાણનારા આચાર્ય વગેરેની ભક્તિ અર્થાત ઝવેરીની જેમ મુનિના ગુણેની પરીક્ષા કરી તેમની સેવા-ભક્તિ કરવી. જે મુનિ સંવેગ એટલે મેક્ષાભિલાષના શુદ્ધ રંગના કલ્લોલને ઝીલનારા અર્થાત જેના ચિત્તમાં નિરંતર મોક્ષે જવાના તરંગ ઉઠી રહ્યા છે, એવા અને જે શુદ્ધ જૈનમાગને પ્રરૂપનારા છે, તેવા પુરૂષોની સેવા-ભક્તિ કરવાથી સમતારૂપ અમૃતનું પાન મળે છે. અને તેથી આત્માને વિષે આનંદ પમાય છે. એ બીજી શ્રદ્ધા છે. ૩ જેમણે જૈનદર્શનનો નાશ કર્યો છે, એવા અને પ્રભુના વચનને ઉલ્યાપનારા એવા નિનવો વગેરેને વવા. કારણ કે તે નિર્ણો સમ્યકત્વને ગ્રહણ કરી પુન તેનું વમન કરનાર છે. અને પ્રભુના વચનથી વિપરીત રીતે વર્તનારા છે, તે ગેષ્ટામાહિલ વગેરે કહેવાય છે. તેવી રીતે યથાઈદા પુરૂષોને વજી દેવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy