SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આત્મપ્રબોધ મૂર્તિઓના રંગની કાંતિ અધિક શમે છે અને તે પર આલેખેલા રૂપ બહુજ દીપી નીકળે છે, જેથી પ્રેક્ષકોના હૃદયમાં, આબેહુબ ભાવનો ઉલ્લાસ થઈ આવે છે.” પ્રભાસ ચિત્રકારના આ વચનો સાંભળી રાજા તેની વિવાળી કુશળતા ઉપર હૃદયમાં સંતુષ્ટ થઈ તેને ઈનામ આપી તેની ઉપર પ્રસાદ કર્યો. અને તેને કહ્યું કે, “મારી આ ચિત્રસભા જે પ્રકારની શાભાવાળી થઈ છે તે અપૂર્વ સિદ્ધિ પામી એવી ને એવી કાયમ રહો.” ઉપરોક્ત કથાનો ઉપનય. સાકેતપુર નગર તે આ મહાન સંસાર સમજવો. મહાબલ રાજા તે સભ્યપ્રકારે ઉપદેશ આપનાર આચાર્ય સમજવા. જે સભા તે મનુષ્યગતિ સમજવી. જે ચિત્રકાર તે ભવ્ય જીવ જાણ. જે ચિત્રશાળાની ભૂમિ તે આત્મા અને તે ભામનો જે સંસ્કાર તે સમ્યકત્વ જાણવું. અને ચિત્ર તે ધર્મ સમજવો. જે અનેક પ્રકારના ચિત્રો તે પ્રાણાતિપાતની વિરતિ વગેરે વ્રતો જાણવા ચિત્રોને દીપાવનારા ઉજ્વળ પ્રમુખવણ તે ધર્મને શાભાવના અનેક પ્રકારના નિયમો જાણવા. અને ભાવને ઉલ્લાસ તે વીર્ય સમજવું. આ ઉપથી એ ઉપદેશ લેવાનો છે કે, પ્રભાસ ચિત્રકારની જેમ પંડિત પુરૂષોએ આત્મારૂપ ભૂમિને નિર્મળ કરવી કે જેથી તે આત્મભૂમિ ઉજજ્વળ ક્રિયારૂપ અનેક પ્રકારના ચિત્રોની અદભુત શોભાને ધારણ કરે છે, જે શોભા આ જગતને વિષે અનુપમ ગણાય છે. આ પ્રભાસના દષ્ટાંતથી સર્વધર્મ કાર્યોને વિષે સમ્યકત્વનું પ્રધાનપણું દર્શાવ્યું છે. સમ્યકત્વના બીજા સડસઠ ભેદો. - હવે વિસ્તાર રુચિ જવાના ઉપકારને માટે સસ્કૃત્વના સડસઠ ભેદે કહે છે. ચાર પ્રકારની શ્રદ્ધા, ત્રણલિંગ, દસવિનય, ત્રણ શુદ્ધિ, પાંચ દુષણ રહિત, આઠ પ્રભાવક, પાંચ ભૂષણ, પાંચ લક્ષણ, છે જયણ, છ આગાર, છ ભાવના અને છ સ્થાનક, એવી રીતે સમ્યકત્વના સડસઠ ભેદ થાય છે. એ સડસઠ ભેદાએ જે યુક્ત હોય તેને નિશ્ચયથી વિશુદ્ધ સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. - ચાર શ્રદ્ધા ૧ પરમાર્થની સ્તવના, ૨ પરમાર્થ જાણનારની સેવા એટલે તેની ગુરુપણે માન્યતા, કે જેમણે સમ્યક્ત્વ વમેલું હોય તેવા વ્યાપન્ન દશનીઓનું વર્જવું, ૪ તથા અન્ય દર્શનીનો ત્યાગ કરે. આ ચાર પ્રકારની શ્રદ્ધા કહેવાય છે. જેને આચાર શ્રદ્ધા હોય તેને અવશ્ય સંખ્યત્વ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy