SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ પ્રકાશ ૩૭૧ વડે ઉત્કૃષ્ટ એવા અરિહંતપણાની સંપત્તિને જે અનુભવે છે, તે ભાવજિન કહેવાય છે. તે ભાવજિન સન્માગને દેખાડવા પ્રમુખ કૃત્યથી સર્વ પ્રાણીઓને પરમ ઉપકારી હોવાથી સર્વ કાલે વંદન, પૂજન અને સ્તવનાદિ કરવાને યોગ્ય છે. આ પ્રમાણે ચાર નિક્ષેપાથી શ્રી જિન ભગવંતનું સ્વરૂપ કહેલું છે. આ નિક્ષેપા જિનથી અન્ય એવા કેવલી તથા સિદ્ધોને વિષે એવા જ પ્રકારે યોગ્યતા અનુસારે લગાડી જોડી દેવા કારણ કે ચાર નિક્ષેપ કરીને જ સર્વ પદાર્થનું ભાવવાપણું છે. હવે કેવલીને આહાર સંબંધી જે વિશેષ છે, તે શ્રી પિંડનિયુક્તિને અનુસાર દેખાડે છે “ओहो सुओवउत्तो सुयनाणी जइवि गिण्हइ असुद्धं । तं केवली वि भुंजइ अपमाणसुअं भवे इयरा ॥१॥" સામાન્યપણે કરી શ્રી પિંડનિયુક્તિ આદિ આગમને વિષે ઉપયુક્ત થયો થકે એટલે તે શાસ્ત્રને અનુસારે કલ્પનીય-અકલ્પનીયને વિચારતો થકે શ્રતશાની સાધુ જે કોઈ પ્રકારે અશુદ્ધ આહારદિક ગ્રહણ કરે તે પણ તે અશનાદિક કેવળશાની પણ ભોગવે. આહાર કરે, જે તેમ ન કરે તે શ્રતજ્ઞાન અપ્રમાણ થઈ જાય.” આ વાત સ્પષ્ટ કરે છે. છદ્મસ્થને શ્રતશાનના બેલે કરી શુદ્ધ આહારાદિકની ગવેષણ કરવી પ્રમાણ છે. પણ બીજે પ્રકારે તે પ્રમાણ નથી. જે કેવલી શ્રતશાનીવડે ગ્રહણ કરાયેલે આહાર આગમને અનુસરે ગષણા કરતા છતાં અશુદ્ધ છે, એમ જાણું ન ભેગવે તે શ્રતજ્ઞાનનો અવિશ્વાસ થઈ જાય, પછી કઈ શ્રતને પ્રામાણિકપણે અંગીકાર ન કરે, જ્યારે શ્રતજ્ઞાન અપ્રામાણિક થાય તો પછી સર્વ ક્રિયાને લોપ થવાનો પ્રસંગ પ્રાપ્ત થાય, અને વલી શ્રત વિના છઘને ક્રિયાકાંડના પરિજ્ઞાનનો અસંભવ હોય છે, તેથી શ્રુતજ્ઞાનીને લાવેલ આહાર કેવલી ભગવે છે. આ અધિકાર શિષ્યાદિક સહિત એવા કેવલીને આશ્રીને કહે છે. જે કેવલી એકલા હોય તે પોતાના જ્ઞાનના બલવડે યથાયોગ્ય શુદ્ધ આહાર ગ્રહણ કરે, એ વિવેક છે. અહીં જિનો અને અજિનોને આશ્રીને બીજું ઘણું કહેવાનું છે, પણ ગ્રંથ વધી જવાના ભયથી એ કહેવામાં આવ્યું નથી. આ તે ભવસ્થ કેવલીનું લેશમાત્ર સ્વરૂપ કહેવામાં આવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy