SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ પ્રકાશ ૩૬૫ ડગલે પંડગવનમાં જાય છે, ત્યાંથી પાછા નિવતી બીજે ડગલે નંદનવનમાં આવે છે અને ત્રીજે ડગલે અહીં આવે છે. તે સ્થાનકને આ ભાવાર્થ છે. - લબ્ધિ ફેરવવાથી થયેલ જે પ્રભાવ તેને સેવવાથી તેને આલોયા કે પડિક્કમ્યા વિના ચારિત્રની આરાધના થતી નથી, કારણ કે તેની વિરાધના કરનારને ચારિત્રની આરાધનાનું ફલ મળતું નથી. આ અધિકારને વિષે તે જૈનાભાએ ઉસૂત્રપ્રરૂપણાનો ભય અવગણ બહુતપરંપરાએ આવેલે ચૈત્ય શબ્દનો જ્ઞાનરૂપ અથ જે પ્રરૂપે છે તે વિષે કહેવામાં આવે છે જે અહીં સાધુઓએ જ્ઞાનવંદન કરેલું હોય તો સારું (વાન) એવા બહુવચનનો પ્રયોગ ન કરત. ભગવાનના જ્ઞાનનું અતિ અદ્દભુત એક સ્વરૂપ જ હોવું જોઈએ તેથી “ઘ” (નૈ7) એવો એક વચનને પાઠ હોવું જોઈએ, પણ તે પાઠ મૂકવામાં આવ્યું નથી, તે ઉપરથી ચારણમુનિઓએ શ્રી જિન પ્રતિમાનું વંદન કર્યું એમ સમજવું. વળી એમ ન માનવું કે- માનુષેત્તર વગેરે પર્વતોમાં શ્રી જિનપ્રતિમા નથી. કેમકે જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ આદિ શાસ્ત્રોને વિષે મેરુ, રુચક, માનુષોત્તર, નંદીશ્વરદ્વીપ પ્રમુખ સર્વ શાશ્વત સ્થાનને વિષે શ્રી જિનપ્રતિમાનો સદ્દભાવ કહે છે. તેમ વળી ભગવતીજીના ત્રીજા શતકના બીજા ઉદેશમાં પ્રગટપણે શ્રી જિનપ્રતિમાને અધિકાર આપેલ છે. તે આ પ્રમાણે ગૌતમ મુનિએ ભગવંતને પૂછયું કે- “હે ભગવન્! અસુરકુમાર દેવતા કેની નિશ્રાએ ઊંચે ચઢે છે અને યાવત્ સુધમ દેવલાક સુધી જાય છે?” તેના ઉત્તરમાં ભગવાને આ પ્રમાણે કહ્યું કે " से जहानामए इह सप्पराइ वा बब्बराइ वा ढंकणाइ वा चुचुयाति वा पल्हवाति वा पुलिंदाति वा एगं महं रणं वा गड्डंवा पुग्गं वा दरिं वा विसमं वा पव्वयं वा निस्साए सुमहल्लमपि आसबलं वा हत्थिवलं वा जोहबलं वा घणुवलं वा आगलिंति एवमेव असुरकुमारा वि देवा णणत्थ"॥ આ પાઠમાં જે “Tખરા” શબ્દ છે, તેના અર્થમાં એટલે વિશેષ છે કેઅરિહંત, અરિહંતના ચૈત્ય અને અનગારભાવિત આત્મા–એ ત્રણની નિશ્રાએ તે અસુરકુમાર દેવતા યાવત્ સુધમ દેવલોક સુધી ઊંચે ચઢે છે. વળી “Uાથ ને એ અથ પણ છે કે- નિ કરીને આ લોકને વિષે અરિહંતાદિકની નિશ્રાએ કરી તે ઊંચે ઉડે છે. તેમની નિશ્રા વિના તે ઊંચે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy