SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ શ્રી આત્મપ્રબંધ જેમના નેત્રા મીંચાતા નથી જેઓ મનથી ચિતિત કાર્યના કરનારા છે, જેમની પુષ્પમાળા કરમાતી નથી અને જેઓ ભૂમિથી ચાર આંગળ ઉંચા રહે છે, એવા દેવતાઓ હોય છે. ૧ આ પ્રમાણે જિનેશ્વરે કહ્યું તે રૌહિણેય ચારના સાંભળવામાં આવ્યું તત્કાલ તેણે ચિતવ્યું કે- અરે ! મારા સાંભળવામાં ઘણું આવી ગયું–આમ કહી ચિંતાતુર થતો તે ચોર કાંટો કાઢી પાછી કાનમાં આંગળી નાંખતે તે રાજગૃહનગરમાં ચાલ્યો ગયો અને ત્યાં પિતાની ઈચ્છા પ્રમાણે ચોરી કરી પાછે પર્વતની ગુફામાં પેસી ગયા પરંતુ પેલી જે પ્રભુની વાણી તેણે સાંભળી લીધી છે, તેને માટે તે નિરતર ચિત્તમાં ખેદ પામ્યા કરતો હતો. તે હમેશા ગુપ્ત રીતે રાજગૃહીનગરીને લુટ્યા કરતો અને કોને રંજાડતો હતે. ચોરની પીડાથી કંટાળી ગયેલા લેકએ રાજા શ્રેણીકની આગળ ફરીયાદ કરી અને પોતાનાં દુઃખ નિવેદન કર્યા રાજાએ મધુરવચનેથી લોકોને આશ્વાસન આપ્યું. પછી તેણે કોટવાલને બોલાવીને કહ્યું – “કોટવાલ ! તમે આખા નગરને હેરાન કરનારા ચોરને પકડી લેકની રક્ષા કેમ કરતા નથી?” કેટવાલે કહ્યું- “રાજન ! રૌહિણેય નામે એક ચોર છે, પણ તે ઘણું મુશ્કેલી વડે પકડાય તે છે, તેને પકડવા માટે અમે ઘણું ઘણું ઉપાયો યોજીએ છીએ, પણ તે પકડાતો નથી, મહારાજ ! જો આપ પોતે તલાક્ષ બને તે વખતે પકડાશે.” કેટવાલના આ વચનો સાંભળી રાજા શ્રેણુંકે પિતાના પુત્ર અને પ્રધાન અભયકુમારની સામે જોયું. એટલે અભયકુમાર અંજલિ જેડી બલ્ય, “પિતાજી! હું સાત દિવસની અંદર ચોરને પકડી લાવીશ. જો સાત દિવસની અંદર તેમ ન બને તે તમારે મને તે ચેરની જેમ શિક્ષા કરવી. અભયકુમારે આવી ભારે પ્રતિજ્ઞા કરી, તે સાંભલી સર્વ સભા અને રાજા આશ્ચર્ય પામી ગયા. પછી અભયકુમારે ભારે પ્રયત્નથી તે ચોરની શેધ કરવા માંડી, પણ કઈ રીતે તે ચેરનો પત્તો લાગ્યું નહીં. એવી રીતે છ દિવસ વીતી જવા લાગ્યા. છઠ્ઠા દિવસે સંયા કાલે લોકોના કેલાહલને શાંત કરી તે ગઢની બહાર કેટલાક સુભટોને તેણે ગોઠવી દીધા. પેલો રોહિણેય ચોરને કેટલાએક અપશુકન અટકાવ્યા છતાં પણ તે કમને વશ થઈ નગરીમાં ચોરી કરવાને પેઠો. જેવામાં તેણે કેાઈ ધનવાનના ઘરનું ખાતર પાડવા માંડયું, તેવામાં પગી લોકોએ મલી એક મેટી હાંક મારી તેને ત્રાસ પમાડ્યો, તેથી તે ત્યાંથી નાશી નગરીના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy