SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પ્રકાશ ૩૩૧ “કુટુંબ પણ અન્ય છે, આ લકમી પણ અન્ય છે અને આ શરીર પણ અન્ય છે. શ્રી જિનધર્મ સિવાય ભવાંતરમાં આવનાર કેઈ બીજું નથી” ૨ - ૬ છઠ્ઠી અશુચિભાવના કહે છે. “રસ, રુધિર, માંસ, મેદ, અસ્થિ, શુક અને માએ સાત ધાતુમય ગ્લેમ તથા મલ, મૂત્ર, પુરીષ, ત્વચા, આંતરડા અને રના સમૂહવડે વીંટાએલું અને સર્વ કાલે કૃમિ, રેગ, ગડેલા આદિથી ભરેલું આ દારિક શરીર તત્વદૃષ્ટિએ જોતાં મહા અશુચિ વાળું છે. તે એક અદ્દભુત આત્મધર્મ વિના ક્યા પ્રકારે શુચિ થાય? કદિપણ થાય નહીં. વલી જે આવા શરીરને કેવલ જલાદિવડે શુદ્ધ કરવા ઈચ્છે છે, તે તત્વથી વિમુખ અને અજ્ઞાની જાણવા” આ પ્રકારે જે ચિતવન કરવું તે અશુચિભાવના કહેવાય છે. તેને માટે આ પ્રમાણે લખે છે. ___ " मेयवसरेअमलमुत्तपूरिथ चम्मवेढियं तत्तो । जंगममिववञ्चहरं कह एयं सुज्झए देहं ॥१॥" આ ગાથાને અર્થ ઉપર દર્શાવ્યો છે. હવે તંદુલવિયાલિ પ્રકીર્ણને અનુસારે તે ઔદારિક શરીરનું ગર્ભાધાનથી આરંભીને કાંઈક વિશેષ અશુચિનું સ્વરૂપ દેખાડે છે. - સ્ત્રીની નાભિની નીચે પુષ્પનાલના આકારે બે નાડી છે, તેની નીચે અધોમુખી કમલના કોશને આકારે જીવની ઉત્પત્તિસ્થાન રૂપ નિ હોય છે. તેની નીચેના ભાગમાં આંબાની માંજરીના જેવી એક માંસની મંજરી છે. તે મંજરી ઋતુ વખતે ફરી રુધિરના બિંદુઓને મુકે છે. ઋતુકાળ વીત્યા પછી એટલે ત્રણ દિવસ પછી તે કમલન કેશના આકારવાણી નિને વિષે પ્રવેશ કરે છે, પછી પુરુષના સંગથી પુરુષના શુક (વીય) ની સાથે મિશ્ર થાય છે, ત્યારે શાની મહારાજાએ તે યોનિ જીવને ઉપજવા ગ્ય કહેલી છે, તે સ્થલે બાર મુદ્દત સુધી તે શુક્ર અને શેણિત અવિનાશી નિપણે થાય છે, અને બાર મુહૂત પછી વિનાશી નિપણાને પામે છે તેથી તે બાર મુહૂર્ત સુધીમાં જીવન ઉત્પત્તિ છે, તે બાર મુહૂત પછી જીવ ઉત્પન્ન થતા નથી. તે ઉત્પત્તિના પ્રથમ સમયે એકત્ર થયેલ પિતા સંબંધી વય અને માતા સંબંધી શેણિત તેને તે જીવ આહારપણે ગ્રહણ કરે છે, તે આહારને જ આહાર કહેવામાં આવે છે, તે જ આહાર અપર્યાપ્ત અવસ્થા સુધી હોય છે, તે પછી જ્યારે તે પર્યાપ્ત થાય છે, ત્યારે તે ગર્ભમાં રહેલ જીવને માહાર હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy