SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ३२४ શ્રી આત્મ પ્રબંધ છે. આ દૃષ્ટાંત ઉપરથી પ્રમાદના લેશથી ઉત્પન્ન થયેલા કમનો વિપાક કે વિષમ છે? તેનો વિચાર કરી સંસારભીરુ એવા મુનિઓએ સવદા પ્રમાદને પરિહાર કરવો જોઈએ. હવે પ્રમાદનો પરિહાર કરી સંયમ પાલવામાં ઉજમાલ થયેલા મુનિએ મનનો નિગ્રહ કરવા પ્રમુખ કાર્યમાં જે બાર સંભાવના ભાવે છે, તેનું સ્વરૂપ કહેવામાં આવે છે. पढमणणिच्चमसरणं संसारो एगया य अन्नतं । असुइतं आसव संवरो य तह निजरा नवमी ॥१॥ लोगसहावो बोहि दुलहा धम्मस्स साहगा अरिहा । एयाओ भावणाओ भावेयव्या पयत्ने णं ॥२॥ ૧ અનિત્ય, ૨ અશરણ, ૩ સંસાર, ૪ એકત્વ, ૫ અન્યત્વ, ૬ અશુચિ, ૭ આશ્રવ, ૮ સંવર, ૯ નિર્જર, ૧૦ લોકસ્વરૂપ, ૧૧ બાધિદુલભ અને ૧૨ ધર્મના સાધક અરિહંત ઇત્યાદિ બાર ભાવનાઓને સુદૃષ્ટિ પુરુષોએ યત્ન કરી અભ્યાસ કરવો. ૧ આ સંસારમાં મહાદિકને વશ થઈ સર્વે વસ્તુને વિષે અવળી બુદ્ધિવાળા મૂઢ જન સ્વામિત્વ, ધન, યૌવન, શરીર લાવણ્ય, બેલ, આયુષ્ય, વિષયસુખની વલ્લભતા અને જન સંગાદિક પદાર્થોને પર્વતથી ઉતરતી મહાનદીના પૂરની જેમ અત્યંત વાયુના સમૂહે કંપાવેલા દેવજપટની જેમ વાંછિત પ્રદેશમાં પિતાની ઈચ્છા પ્રમાણે વિહાર કરનારા અને ચારે તરફ ભમરાઓના સમૂહે આશ્રિત એવા ગંડસ્થલવાળા મદોન્મત્ત હસ્તીના કણતાલની જેમ અને નિબિડ પવને કરી હણાએલા વૃક્ષના પાકા પાંદડાના સમૂહની જેમ અતિચંચલ છે, તે પણ તે સર્વદા નિત્યરૂપ જાણે છે, પણ તત્ત્વદૃષ્ટિએ જોતાં આ સર્વ ભાવો અનિત્ય છે, તેમાં એક પણ નિત્ય-શાશ્વત નથી. વલી જે પરમાનંદને આપનારા સદશાનાદિક આત્માના ગુણે તે નિત્ય છે, આ પ્રમાણે ચિતવવું, તે પહેલી અનિત્યભાવના કહેવાય છે. તેને માટે આ પ્રમાણે કહેલું છે – "सामित्तगधण जुव्वणक-रूवबलाउइट्ठसंजोगा । अइलोला घणपवणाहयपाववपक्कपत्तव्वा ॥१॥" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy