SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ શ્રી આત્મપ્રબોધ એક દિવસે સ્થલચારી કીડાઓના માંસની ઈચ્છાવાળા થયા. તેથી તેઓ દ્રહની બહાર નીકળ્યા. કોઈ દુષ્ટ બે શીયાલેએ તેમને જોયા, ત્યારે તેઓ બંને ભયભીત થઈ ગયા. તત્કાલ પિતાનો બચાવ કરવા તેઓ ચારે પગ અને ગ્રીવા કટી (=માથાની પરી)માં ગેપવી ચેષ્ટારહિત નિજીવની પેઠે થઈ ગયા. પેલા શીયાલીઆઓ ચંચળતાથી તેમને ઉંચા નીચા કરવા લાગ્યા અને તેમની પર ચરણેનો આઘાત કરવા લાગ્યા. તેમ કરવાથી તેઓ તે કાચબાઓને કાંઈ વિકૃતિ કરી શક્યા નહીં. પછી તેઓ શ્રાંત થઈ ત્યાંથી દૂર જઈ એકાંત સ્થિર થઈને રહ્યા. આ વખતે જે અગુખેંદ્રિય કાચબે હતું, તેણે ચલતાથી પિતાની ડોકને ચરણની બહાર કાઢી, તેવામાં પેલા બંને શીયાળો દોડી આવ્યા અને તેના શરીરના કકડે કકડા કરી તેને મરણ પમાડી દીધો. જે બીજે ગુખેંદ્રિય કાચબે હતે, તે અચપળ હોવાથી ઘણે વખત સુધી તેવી જ સ્થિતિમાં રહ્યો. જ્યાં સુધી તે બંને શીયાળીઆઓ ત્યાં રહ્યા, ત્યાં સુધી તેણે કંઇપણ ચપળતા કરી નહીં. શીયાળીઆઓ ઘણી વાર બેસી થાકી ગયા અને પછી ત્યાંથી બીજે સ્થળે ચાલ્યા ગયા. તે પછી તે ગુપ્તેન્દ્રિય કાચબે હળવે હળવે દિશાનું અવલોકન કરતે ચાલ્યો અને કુદીને પેલા દ્રહમાં પડ્યો, પછી તે સુખી થઈ રહ્યો. આ પ્રમાણે પાંચ અંગેને પવનારા તે કાચબાની જેમ જે મુનિ પાંચ ઇંદ્રિયને પવનાર થાય છે, તે સદા રહે છે અને પેલા બીજા અગતેંદ્રિય કાચબાની પેઠે જે પાંચ ઈંદ્રિાને ગોપવતો નથી, તે મુનિ દુઃખી થાય છે. તેથી મુનિએ પાંચ ઇંદ્રિયોનો જય કરવામાં યત્ન કરવો. ઈંદ્રિયને જય કરવામાં તે બે કાચબાને ઉપનય દર્શાવી ઇંદ્રિયનિગ્રહરૂપ સંયમ કહેલ છે. કષાયજયનું સ્વરૂપ પાંચ ઇંદ્રિયને નિગ્રહ કરનાર સાધુઓએ ક્રોધાદિ ચાર કષાયે કે જે અનુદિત છે તેમને અનુદીરવડે અને જે ઉદય આવેલા છે તેમને નિષ્ફળ કરવાવડે જય કરો એટલે નિધિ કરો. કષાય શબ્દનો અર્થ જેનાથી પ્રાણી કષ એટલે સંસારને આય કહેતા પામે તે કષાય કહેવાય છે. ક્રોધ, માન, માયા લાભ, એવા તેના ચાર પ્રકાર છે. તે ચાર કષાયેના પ્રત્યેકના અનંતાનુબંધી આદિ ચાર ચાર ભેદ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy