SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ २८८ શ્રી આત્મપ્રધ ૧. આલોચના–એટલે ગુરુની આગળ પોતાનું દુત વચનથી પ્રગટ કરવું. ૨. પ્રિતમણ-લાગેલા દોષથી પાછું ફરવું. ફરીથી તે દેષ ન કરવાને મિથ્યા દુકૃત આપવું પણ ગુરુ સમક્ષ ન આલેચવું. અનુપગપણે વ્હેમાદિકના પ્રક્ષેપની જેમ. ૩. મિશ્ર–જે દુષ્કૃત આ બંનેથી શુદ્ધ ન થાય તે તેની શુદ્ધિને અથે આલોચના અને પ્રતિક્રમણ બંને કરવા તે. ૪. વિવેક–જે આધાકર્માદે આહાર ગ્રહણ કરવા પ્રમુખ કે જે અકૃત્યપણે ગ્રહણ કરેલા આહારદિકનો ત્યાગ કરવાથી શુદ્ધ થાય છે, તે સિવાય બીજી રીતે શુદ્ધિ થતી નથી, તે શુદ્ધિને અર્થે જે આહારાદિકનો પરિત્યાગ તે વિવેક કહેવાય છે. ૫. વ્યસંગ—દુઃસ્વપ્નથી ઉત્પન્ન થયેલ દોષની શુદ્ધિને માટે કાયાના વ્યાપા રનો વિરોધ કરે તે. ૬. તપ-તે પ્રથમ કહેલા ઉપાયે કરી જે અશુદ્ધ રહે છે તે દુષ્કૃતની શુદ્ધિને માટે યથાયોગ્ય નવી આદિ છ માસ પર્યત જે તપનું આચરણ તે. ૭. છેદ-શેષ ચારિત્ર પર્યાયની રક્ષાને માટે સદોષ પૂર્વ પર્યાયનું છેદન કરવું તે. ૮. મૂલ–કોઈ મહાદોષ લાગતાં સમગ્ર ચારિત્રપર્યાયને છેદી ફરીથી મહાવ્રતનું આરોપણ કરવું તે. ૯ અનવસ્થાપ્યતા–કોધાદિકના ઉદયથી સેવન કરેલા પાપની શુદ્ધિને માટે ગુરુએ યથાર્થ આપેલા તપની શુદ્ધિ જ્યાં સુધી નથી કરી ત્યાં સુધી તેને વ્રતને વિષે અથવા વેષને વિષે ના સ્થાપવા તે અનવસ્થાપ્યતા કહેવાય છે. ૧૦. પારાંચિત-મુનિઘાત, રાજવધ આદિ મહાઅકૃત્ય સેવવાથી લિંગ, કાલ, ક્ષેત્ર અને તપવડે તેને પાર પામવો તે. આ પ્રમાણે પ્રાયશ્ચિત્ત તપના દશ પ્રકાર છે. તે પ્રાયશ્ચિત્ત અપ્રગટપણે લિંગ ધારણ કરનારા, જિનકલ્પિકની તુલ્ય રૂપવાળા અને ક્ષેત્રથી બહાર રહેલા આચાર્યોને શુભ વિસ્તીણ તપ કરતા છતાં જઘન્યથી છ માસ અને ઉત્કૃષ્ટથી બાર વર્ષ સુધી હોય છે, તે પછી એટલે અતિચારનું પારગમન કર્યા પછી અનંતર તેને દીક્ષા અપાય છે અન્યથા અપાતી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy