SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પ્રકાશ ૨૮૫ રહેનાર છે, દુઃખમાં રહેનાર નથી, તેથી સાધુને સહન કરવામાં શીત, ઉષ્ણ, સુધા, પિપાસા, ડેશ-મલકના તથા રોગાદિકના પરિષહ અને ઉપસર્ગો સહન કરવા સમર્થ નથી, તેથી તને પ્રત્રજ્યા લેવાની આજ્ઞા આપવાને ઇચ્છતા નથી.” માતા-પિતાના આવા વચન સાંભળી કુમાર બે -“હે પૂજ્ય માતાપિતા ! તમોએ જે સંયમની દુષ્કરતા બતાવી તે સત્ય છે, પરંતુ તે પુરુષાતન વિનાના કાયર પુરુષોને માટે છે, ચારિત્રની દુષ્કરતા વીરપુરુષને માટે નથી. જેઓ આ લોકમાં પ્રતિબંધવાળા, પરલોકથી પરાભુખ રહેનારા અને વિષયોમાં તૃણવાળા છે, તેઓને મહારત દુષ્કર છે, પરંતુ જેઓ ધંયવાળા અને આ સંસારના ભયથી ઉદ્વિગ્ન રહેનારા છે, તેઓને એ મહાવ્રતનું ગ્રહણ જરાપણ દુષ્કર નથી માટે આપ પૂજ્ય વડિલની આજ્ઞાથી હું દીક્ષિત થવાને ઇચ્છું છું.” માતા-પિતા બોલ્યા“ભાઈ! એ ખરી વાત છે. પરંતુ તારે આવી હઠ ન કરવી જોઈએ. તું બાળક શું જાણે?” અતિમુક્તકુમારે કહ્યું-“પૂજ્ય માતા-પિતા ! જે હું જાણું છું, તે હું નથી જાણતું અને જે હું નથી જાણતો તે હું જાણું છું.” પુત્રના આવાં વચન સાંભળી માતા-પિતા બોલ્યા- “વસ ! આ તું શું કહે છે ? તે કાંઈ સમજાતું નથી, તે અમને સ્પષ્ટ રીતે સમજાવ.” રાજકુમાર બેલ્યો-“પૂજય ! આ જગતમાં જે જમ્યા તેમને અવશ્ય મરવાનું છે તે હું જાણું છું, પરંતુ તેમને કયારે ક્યાં કેવી રીતે અને કેટલેક કાળે મરવાનું છે? તે હું જાણતો નથી. તેમજ કેવા કર્મોએ કરીને જીવો નરકમાં ઉપજે છે ? તે મારા જાણવામાં નથી પણ તેઓ પોતાના કરેલા નઠારા કર્મોથી નરકમાં પડે છે, એમ હું જાણું છું.” અતિમુક્તકુમારનાં આ વચન સાંભળી તેના માતા-પિતા હૃદયમાં ખુશી થઇ ગયા. “આ પુત્ર ચારિત્રમાં સ્થિર ચિત્તવાળે છે.” એવી ખાત્રી થતાં તેમણે દીક્ષા લેવાની આજ્ઞા આપી. અને મોટા આડંબરથી તેને દીક્ષા મહોત્સવ કર્યો. રાજકુમાર અતિમુક્ત સ્નાન, વિલેપન તથા વસ્ત્રાભરણોથી વિભૂષિત થઈ માતા-પિતાદિ પરિવારથી પરિવૃત બની સુંદર શિબિકામાં બેસી વિવિધ વાજિત્રના દવનિ સાથે નગરમાં ફરવા નીકળ્યો. તે સમયે દ્રવ્યના દાનની ઈચ્છા રાખનારા ચારણ ભાટ વગેરે યાચકે આ પ્રમાણે આશિષ આપવા લાગ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy