SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આત્મપ્રમાધ વડે વૃદ્ધિ પામતા અનુક્રમે છ વના થયા. તે અરસામાં નગરની બહાર શ્રી વીરપ્રભુ સમાસર્યાં. તે વખતે પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામી શ્રી વીરપ્રભુની અનુજ્ઞા લઇ ભિક્ષાને માટે નગરમાં આવ્યા. આ સમયે રાજકુમાર અતિમુક્તકુમાર બાલકાની સાથે રસ્તામાં ક્રીડા કરતા હતા. તે ગૌતમસ્વામીને દેખી આ પ્રમાણે બાલ્યાઃ-“તમે કેણુ છે ? અને શા માટે ફરો છે ?” ગૌતમસ્વામીએ કહ્યું:–“ અમે સાધુ છીએ અને ભિક્ષાને માટે ફરીએ છીએ. ” તેમના આ વચન સાંભળી રાજકુમારે કહ્યુ - હે પૂજ્ય ! આવા, તમને ભિક્ષા અપાવુ‘.’’ આ પ્રમાણે કહી તે કુમાર ગૌતમસ્વામીની આંગળીએ વળગી પેાતાને ઘેર લઇ ગયા, તે વખતે તેની માતા શ્રીદેવી અતિષ પામતી ભક્તિપૂર્વક શ્રી ગૌતમસ્વામીને નમી પડી અને તેણીએ ભાવથી ગણધરને પ્રતિલાભિત કર્યાં. તે વખતે રાજકુમારે આ પ્રમાણે કહ્યું :–“ મહારાજ તમે કચાં વસે છે ?’' ગૌતમસ્વામીએ કહ્યુ' : “ જે ઉદ્યાનમાં અમારા ધર્માચાર્ય શ્રી વર્ધમાનસ્વામી વસે છે, ત્યાં અમે વસીએ છીએ.” રાજકુમાર મેક્લ્યાઃ-“ સ્વામી ! ત્યારે હુ· તમારી સાથે ત્યાં આવું અને તમારા ધર્માચાય ને વાંદના કરું.” ગૌતમસ્વામીએ કહ્યું:–“ દેવાનુપ્રિય! તમને સુખ થાય તેમ કરે.” ૨૮૨ તે પછી અતિમુક્તકુમારે ગૌતમસ્વામીની સાથે શ્રી વીરપ્રભુને વંદના કરી પછી પ્રભુએ તેને ધર્મોપદેશ આપ્યા. તે સાંભળી અતિમુક્તકુમાર પ્રતિબાધ પામી ગયા અને દીક્ષા લેવાની ઇચ્છાથી પિતાની આજ્ઞા લેવાને ઘેર આવ્યે. તેણે ઘેર આવી આ પ્રમાણે માતા-પિતાને કહ્યુ : “ હે માતાપિતા ! મેં આજે શ્રી વીરપ્રભુની પાસે ધ' સાંભળ્યા છે અને તે ધ મને ા છે.” ત્યારે માતા-પિતા બાલ્યા– “ પુત્ર ! તને ધન્ય છે. તું કૃતપુણ્ય છે અને આ લાકમાં કૃતા થયા છે કે જે તે શ્રી વીરપ્રભુ પાસે ધમ સાંભળ્યા અને વળી તે ધમ તને રુચિકર થયા. ’’ કુમાર મેલ્યાઃ–“ હે માતાપિતા : હુંતે પ્રભુના મુખથી ધમ સાંભળી આ સંસારના ભયથી ઉદ્ભગ્ન થઇ ગયા છુ' મને જન્મ-મરણના અતિ ભય લાગ્યા છે, તેથી તમારી આજ્ઞાથી હુ. તે વીરપ્રભુ પાસે દીક્ષા લેવા ઈચ્છા રાખુ છું.” તે અનિષ્ટ, અમનેજ્ઞ, અપ્રિય અને પૂર્વે નહિ સાંભળેલ વચન સાંભળી તત્કાલ માતા શેકસાગરમાં મગ્ન થઈ ગયા. તેમનુ` હૃદય દીનવત્ ખેદ પામી ગયુ અને મન ઉપર ગ્લાનિ પ્રસરી ગઈ. તત્કાલ તે પુત્રવિયેાગના ભયથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy