SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ અથ તૃતીય પ્રકાશ (સર્વવિરતિ) આ ત્રીજા સર્વવિરતિ નામે પ્રકાશના આરંભમાં તેની પ્રાપ્તિના ભેદને સૂચવનારી આર્યા આ પ્રમાણે છે. " प्रत्याख्यानावरणकषायचतुष्क क्षयोपशम भवनात् । સમસ્ત માનવ દત્ત અવિરતિમાનવિરતો વા છે ?” “દેશવિરતિ એટલે પંચમગુણ સ્થાનવત પુરુષ અથવા અવિરતિ એટલે પ્રથમ ગુણસ્થાનવતી અથવા ચતુર્થ ગુણસ્થાનવત પુરુષ પ્રત્યાખ્યાનાવરણીય નામના ત્રીજા કષાયની ચોકડીનો ક્ષયપાશય થતાં સર્વવિરતિ પામે છે.” ત્રિવિધ ત્રિવિધ ભાંગાએ કરીને સર્વ સાવદ્યાગથી જે નિવૃત્તિ તે સર્વવિરતિ કહેવાય છે. - દેવતા, તિર્યંચ અને નારકી તથા પ્રકારના ભવના સ્વભાવને લઇને એ સર્વવિરતિને પામી શકતા નથી, તે કારણથી જ અહીં મનુષ્યનું ગ્રહણ કરેલું છે. વળી એ સર્વવિરતિ દેશવિરતિની પ્રાપ્તિને અવસરે ભવિષ્યમાં થનારી કમની સ્થિતિમાંથી સંખ્યાતા સાગરોપમ ખપાવ્યાથી પ્રાપ્ત કરાય છે, એ પ્રથમ વિસ્તારપૂર્વક દર્શાવ્યું છે. તથા સ્થિતિમાન આ સર્વવિરતિનું તથા દેશવિરતિનું પણ જઘન્યથી અંતમુહૂત અને ઉત્કર્ષથી દેશનપૂવકેટીનું જાણવું. એવા પ્રકારની છે સર્વવિરતિ જેને તે સર્વવિરતિમાનું સાધુ કહેવાય છે. આવા સાધુઓ છદ્મસ્થ અને કેવળી એમ બે પ્રકારના છે. તેમાં જે મુનિરાજ છઠ્ઠા ગુણઠાણથી આરંભીને બારમા ગુણસ્થાને વર્તનારા છે, તે છદ્મસ્થ કહેવાય છે અને જે તેરમા અને ચાદમા–એ બે ગુણસ્થાને વનારા છે, તે કેવળી કહેવાય છે. તેથી આ ત્રીજા પ્રકાશને વિષે છદ્મસ્થ સાધુનો અધિકાર આપે છે. અને કેવળી કે જે પરમાત્મરૂપ છે, તેમનું સ્વરૂપ ચોથા પ્રકાશમાં કહેવાશે. અહીં પ્રથમ સર્વવિરતિ અંગીકાર કરનાર પુરુષ, સ્ત્રી અને નપુંસકનું યોગ્યાયોગ્યપણું દેખાડે છે. "अट्ठारस पुरिसेसु वीसं इत्थीसु दस नपुंसेसु ।। पव्वावणा अणरिहा, इस अणला आहिया सुत्ते ॥१॥" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy