SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકાશ પરિપાકને પામી તેને લઈ પર્વતની નદીના જળના વેગમાં ઘસડાતા પાષણના ઘસરાની જેમ માંડ માંડ અનાભોગથી નિવૃત્ત એવા યથાપ્રવૃત્તિ કરણરૂપ પરિણામ વિશેષથી ઘણાં કર્મની નિર્જરા કરતો અને ચેડા કર્મને બાંધતો સંશી જીવપણું પ્રાપ્ત કરે છે. પછી પલ્યોપમના અસંખ્યય ભાગથી ન્યુન એવા એક સાગરેપમ કેટિની સ્થિતિવાળા આયુષ્ય સિવાયના સાત કર્મોને કરે છે. જીવને પિતાના દુષ્કર્મથી ઉત્પન્ન થયેલ ઘાટા રાગદ્વેષના પરિણામ રૂપ, કઠોર અને ઘાટા લાંબા કાલની લાગેલ ગોપાલ વક્રગ્રંથિ (ગાંઠ) ના જેવો દુર્ભેદ્ય અને પૂર્વે કદિ નહીં ભેદાએલ ગ્રંથિ છે, એ ગ્રંથિ સુધી અભવ્ય જીવો પણ યથાપ્રવૃત્તિકરણ વડે કમને ખપાવી અનંતવાર આવે છે. અને તે ગ્રંથિદેશમાં રહેલ અભવ્ય જીવ અથવા ભવ્ય જીવ સંખ્યય અથવા અસંખ્યય કાળ સુધી રહે છે. તેમાં કોઈ અભવ્ય જીવ ચકવતી વગેરે અનેક રાજાઓએ જેમને શ્રેષ્ઠ પૂજા, સત્કાર અને સન્માન આપેલ છે. એવા ઉત્તમ સાધુઓને જોવામાં અથવા જિન સમૃદ્ધિના દેખવાથી અથવા સ્વગના સુખ વગેરેના પ્રયજનથી દીક્ષા ગ્રહણ કરી દ્રવ્ય-સાધુપણાને પ્રાપ્ત કરી પોતાની મહત્તા વગેરેની અભિલાષાથી ભાવસાધુની જેમ પ્રતિલેખનાદિ કિયાએ કલાપને આચરે છે. અને તે કિયાના બળથી ઉકૃષ્ટા નવમા ગ્રેવેયક સુધી પણ જાય છે. અને કોઈ નવમા પૂર્વ સુધી માત્ર સૂત્રપાઠ જાણે અર્થ જાણતું નથી, કારણ કે, અભવ્ય ને પૂર્વધર લબ્ધિને અભાવ છે, તેથી તે માત્ર દ્રવ્યશ્રત મેળવે છે. કોઈ મિથ્યાત્વી ભવ્ય જીવ તો ગ્રંથિ દેશમાં રહી કાંઈક ઉણ દશ પૂર્વ સુધી દ્રવ્યશ્રત મેળવે છે. એથી જ કાંઈક ઉ| દશપૂર્વ સુધી શ્રત પણ મિથ્યાશ્રત થઈ જાય. કારણકે તે મિથ્યાત્વીએ ગ્રહણ કરેલ છે. અને જેને પૂર્ણ દશપૂર્વ શ્રત થાય તેને નિચે સમ્યકત્વ થાય છે. અને બાકીના કાંઈ ઉણા દશપૂર્વધર વગેરેમાં સમ્યકત્વ થવાની ભજના છે એટલે સમ્યકત્વ થાય અથવા ન પણ થાય. તેને માટે કલ્યભાષ્યમાં નીચે પ્રમાણે કહ્યું છે વફા સા , નિયમ સમં તુ સેસ મળT I” એ પછી કોઈ મહાત્મા કે જેને પરમ નિવૃત્તિ-ક્ષનું સુખ નજીક છે અને જેના અનિવાર્ય વીર્યને વેગ ઘણું રીતે ઉલ્લાસ પામેલ છે. તે મહાત્મા તીકણ ખડ્ઝની ધારની જેમ પરમ શુદ્ધ અધ્યવસાય વિશેષરૂપ અપૂર્વકરણ વડે જેનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે. એવા ગ્રંથિને ભેદ કરી અનિવૃત્તિકરણમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy