SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ શ્રી આત્મ પ્રબોધ ખુશ થતી હતી. તેણી ધારતી હતી કે, આવા લુબ્ધ પુરુષના હૃદયમાં આવે શુભ ભાવ ઉત્પન્ન થયો છે. તેથી જણાય છે કે, આ પુરુષનો કોઈ શુભેદય થશે. એક વખત એવું બન્યું કે, લેભી ધન ગામડે ફેરી કરી બપોરે મેડ આવ્યા. તે ઉતાવળમાં પ્રભુના મુખકમલનું દશન ભુલી ગયો, અને તરત ભજન કરવા બેઠો, તે વખતે તેને યાદ આવ્યું કે, “ અરે ! મેં હજુ દેવદર્શન કર્યા નથી. માટે જઈને સત્વર કરી આવું.” આવું વિચારી તે તત્કાલ બેડો થયો અને જિનચૈત્યમાં આવી પ્રભુના દર્શન કરવા લાગ્યા. તેવામાં ચૈત્યની અંદર “હે ધન, માગ, માગ,” એ દવનિ પ્રગટ થયો. આ શબ્દ સાંભળી ધન ચારે તરફ જેવા લાગે, પણ તે શબ્દ કહેનાર કોઈ માણસ તેના જવામાં આવ્યું નહીં. આથી તેના મનમાં અતિશય આશ્ચર્ય ઉત્પન્ન થયું. તે વખતે તે ધને આ પ્રણાણે કહ્યું. “તમે જે બોલે છે, તે કોણ છે?” પુનઃ આ પ્રમાણે ધ્વનિ થયો. “હું આ ચૈત્યનો અધિષ્ઠાયક અને શ્રી અરિહંત ભગવાનનો ઉપાસક દેવતા છું. તને તારા નિયમમાં દઢ હુ તુષ્યમાન થયો છું, માટે તું વાંછિત વર માંગ.ધન બેલ્યો--“હું મારી સ્ત્રીને પુછીને માગીશ.” આ પ્રમાણે કહી ધન પિતાને ઘેર આવ્યો અને તેણે પોતાની સ્ત્રીને તે સર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભલી તેની વિવેકી સ્ત્રીએ વિચાર કર્યો કે, “ઘરમાં દ્રવ્યની કાંઈ ન્યૂનતા નથી, પણ આ મારા પતિમાં વિવેકની ખામી છે. જે તેનામાં વિવેક આવે તો પછી સર્વ કાર્યની સિદ્ધિ થશે.” આવું વિચારી તે સ્ત્રીએ ધનને કહ્યું, “સ્વામી, તમે સત્વર તે દેવ પાસે જાઓ અને તેમની પાસે વિવેક માગો.' સ્ત્રીનું આ વચન માન્ય કરી તે ધનશેઠ કોથળા ફેરવત ચૈત્યમાં આવ્યું. અને ઊંચે સ્વરે બેલ્યો, “હે દેવ, જો તમે મારી ઉપર તુષ્ટ થઇ મને વર આપવા ઇચ્છતા હો તો મને વિવેક આપે.' તેનાં આ વચનો સાંભળી અને તેનાં દુષ્કર્મનો ક્ષય જાણું દેવતાએ કહ્યું, “હે ધન, સર્વ પ્રકારની જડતાને નાશ કરનારૂં વિવેકરૂપી રત્ન હું તને આપું છું. હવે તું ઘેર જા.” તે પછી ધન વિવેકનું વરદાન પ્રાપ્ત કરી પિોતાને ઘેર આવી ભજન કરવા બેઠો. તે વખતે તેની સ્ત્રીએ તેલથી મિશ્રિત એવું કળથીનું અન્ન તેની આગળ લાવીને મુક્યું. તે જોઈ ધન વિવેકવાન થઈ બોલ્યો, “અરે ! આપણા સદ્ધિવાલા ઘરમાં આવું દુષ્ટ ભેજન કેમ? ' સ્ત્રીએ કહ્યું, “સ્વામી, તમે જેવું અન્ન લાવી આપે છે, તે હું રાંધી આપું છું.” પછી તેણે ઘરમાં નજર કરી તેવામાં સ્થાને સ્થાને વિવિધ જંતુઓના જાળાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy