SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ શ્રી આત્મ પ્રબોધ શું કામ છે? અને જે શીલરૂપી આભૂષણ ન હોય તે પછી બીજા આભૂષણ શા કામના છે? અહીં શિષ્ય શંકા કરે છે કે, “પુરૂષોને તો હૃદયનું દઢતાપણું હોવાથી શીલ હોઈ શકે પરંતુ સ્ત્રી જાતિનાં હૃદય તુચ્છ અને ચપલ હોવાથી તેમજ તેમનામાં પુરૂષને આધિન રહેવાપણું હોવાથી તેઓને શીલ શી રીતે રહી શકે ?" આ શંકાના સમાધાનમાં ગુરુ કહે છે કે, એવી શંકા કરવી અયુક્ત છે. કારણ કે, સર્વ સ્ત્રીઓ એક સ્વભાવવાળી હોતી નથી. સ્ત્રીઓમાં પણ ઘણી સ્ત્રીઓ સુશીલ ધર્મના અનુષ્ઠાનથી અને શાસ્ત્રના શ્રવણ કરવાથી શેનિક હોય છે, તેને માટે કહ્યું છે કે "नारिओ वि अणेगा सीलगुणेणं जयम्मि विखाया । जासिं चरित्तसवणे मुणिणो विमणेचमकंति" ॥१॥ “સુભદ્રા, સીતા, દ્રૌપદી આદિ અનેક સ્ત્રીએ શીલગુણ વડે આ જગતુમાં વિખ્યાત થયેલી છે. તેઓનાં ચરિત્ર સાંભળી મુનિઓ પણ પિતાના મનમાં ચમત્કાર પામી જાય છે.” (૧) તે વિષે આ પ્રમાણે કહ્યું છે – “જ્ઞા વૈમિ, સી, રાહુ ચંદ્ર પyવાળો. __कालत्तए वि जाओ, ताओ वि नमामि भावेण" ॥१॥ “આર્યા, બ્રાહ્મી, સંદરી રાજિમતી અને ચંદનબાળા, પ્રમુખ સતીઓ ત્રણ કાળને વિષે પણ શીલ ગુણથી ચલિત થઈ નથી, તે સતીઓને હું ભાવથી નમું છું.” (૧) આ જિનશાસનને વિષે જે કે ધર્મ પુરૂષથી ઉત્પન્ન થયેલે છે અને મોટામોટા ગ્રંથોના કર્તાઓ પણ પુરૂષ જ હોય છે. તેથી પુરૂષ જાતિનું પ્રધાનપણું છે. પરંતુ જે કાયર પુરૂષ છે, તેમને સ્ત્રીઓ પાશરૂપ છે, એવા વ્યવહાર નયનું અવલંબન કરીને પ્રાયઃ ઉત્કૃષ્ટ મુનિઓએ સ્ત્રીની નિદા કરેલી છે. તેને માટે કહ્યું છે કે, " सोअसरी दुरियदरी, कवडकुंडि महिलिआ किलेसकरी । वहर विरोअण अरणी, दुरखरखणी सुख पडिवखा" ॥१॥ સ્ત્રી શેકની સરિતા છે. પાપની ગુફા છે. કપટની કડી છે, કલેશની કરનારી છે. વૈર વિરેધ કરનારી છે, દુઃખની ખાણ છે અને સુખની પ્રતિપક્ષી છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy