SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭ દ્વિતીય પ્રકાશ જેટલી કર્મની સ્થિતિમાં સમ્યકત્વ પામવાપણું છે તેમાંથી પલ્યોપમાં પૃથકત્વકાળની સ્થિતિ ખપાવતાં શ્રાવક થાય છે. અને સંખ્યાતા સાગરોપમે ઉપશમચારિત્ર અથવા ક્ષાયિચારિત્ર પામે છે. એટલે દેશવિરતિ પામ્યા પછી સંખ્યાતા સાગરોપમે ચારિત્ર પામે, તે પછી સંખ્યાતા સાગરેપમે ઉપશમ શ્રેણીને પામે, તે પછી સંખ્યાતા સાગરોપમ જતાં ક્ષપશ્રેણી પામે અને તે પછી તે જ ભવમાં મોક્ષ થાય છે. એ પ્રકારે દેશવિરતિને રહેવાને કાળ જાન્યથી અંતમુહૂર્તનો છે. અને ઉત્કૃષ્ટથી દેશે ઉણા પૂર્વ કેટીન છે; એવા પ્રકારની દેશવિરતિ જેને વિદ્યમાન છે, તે દેશવિરતિ શ્રાવક કહેવાય છે તે શ્રાવકને બે પ્રકારના કહેલા છે. વિરતા અને અવિરતા. જેમણે દેશવિરતિપણું અંગીકાર કરેલું છે, તે આનંદાદિક શ્રાવકની પેઠે વિરતા શ્રાવકો કહેવાય છે. અને જેમણે ક્ષાયિક સમ્યકત્વ અંગીકાર કરેલું છે. તે અવિરતા છે. સત્યકિ, વિદ્યાધર, શ્રેણિક તથા કૃષ્ણ વગેરે અવિરતા શ્રાવક હતા. આ બીજા દેશવિરતિ પ્રકાશને વિષે જેમણે દેશવિરતિપણું અંગીકાર કરેલું છે, એવા શ્રાવકોનું સ્વરૂપ કહેવામાં આવે છે. તેનું નિરૂપણ કરવા માટે પ્રથમ શ્રાવકની યોગ્યતાને દર્શાવનારા તેને એકવીશ ગુણ કહે છે. "धम्मरयणस्स जुग्गो अखुद्दो रूववंपगइ सोमो । लोगप्पिओ अकूरो भीरुअसठो सदखिन्नो ॥१॥ लजालुओ दयालू , मझत्थो सोमदिठि गुणरागी । सकह सुपरकजुत्तो सुदीहदस्सी विसेसन्नू ॥२॥ वुढ्ढाणगोविणीओ, कयन्नुओ परहियत्थ कारीय । तह चेव लद्ध लरको इगवीस गुणो हवइ सड्ढो ॥३॥" (૧) ધર્મરૂપ રત્નને ગ્ય, એવો શ્રાવક અશુદ્ધ એટલે ઉંચી જાતનો અર્થાત્ સુખે કરીને ધર્મને જાણનારે. (૨) રૂપવાન એટલે સંપૂર્ણ અંગ ઉપાંગવાળે, મનેહર, સૌમ્ય એટલે સદાચારની પ્રવૃત્તિ વડે ભવ્ય લોકોને ધર્મને વિષે ગૌરવપણું ઉપજાવનારે. અહીં કોઈ પ્રશ્ન કરે કે, “નંદિષેણ, હરિકેશી પ્રમુખ કુરૂપવાળા હતા, તેઓમાં પણ ધર્મની પ્રાપ્તિ સાંભળવામાં આવે છે. અને તમે તે રૂપવાનને જ ધર્મના અધિકારી કહે છે, તેનું શું કારણ?” તેના ઉત્તરમાં કહે છે કે, “રૂપ બે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy