SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકાશ ૧૪૩ તેમ અન્ય શાસ્ત્રમાં પણ કહ્યું છે કે "नामुक्तं क्षीयते कर्म कल्पकोटिशतैरपि" દોડો ગમે યુગ વહ્યા જાય, પણ કરેલું કર્મ ભેગવ્યા વિના ક્ષય પામતું નથી.” આ ઉપરથી સિદ્ધ થયું કે, “આ જીવ કરેલા કમનો ભેગવનાર છે. આથી જેઓ જીવને કમને ભક્તો માનતા નથી, તેવાઓના મતને પરાસ્ત કર્યો છે. પ. નિર્વાણમસ્તિ અસ્ય જીવસ્ય? વળી તે જીવને નિર્વાણ છે એટલે તેને મેક્ષ થાય છે. આ જીવની રાગ, દ્વેષ, મદ, મેહ, જન્મ, જરા, મરણ, રેગાદિ દુઃખના ક્ષયરૂપવાળી જે અવસ્થા. તે મોક્ષ કહેવાય છે. તે મેક્ષ આ જીવને હોય છે. વળી તે મેક્ષનો સર્વથા નાશ નથી, એથી દીપકના બુઝાવારૂપ અભાવ રૂપે નિર્વાણ કહેવાય છે” આ વચનોથી અસરૂપ કદાગ્રહને નિરૂપણ કરનારા સૌગત લોકોના મતને નિરાસ કરવામાં આવ્યા છે. સૌગતમતવાલા તો નિર્વાણને માટે આ પ્રમાણે કહે છે–– " दीपो यथा निवृतिमभ्युपेतो नैवावनि गच्छति नांतरीक्षम् । दिशं न कांचिद्विदिशं न कांचित् स्नेहक्षयात्केवलमेति शांतिम् ॥१॥ जीवस्तथा निर्वृतिमभ्युपेतो नैवावनि गच्छतिनांतरीक्षम् । दिशं न कांचिद्विदिशं न कांचित् क्लेशक्षयात्केवलमेति शांतिम् ॥२॥" દિપક નિર્વાણ (બુઝાવપણ) ને પ્રાપ્ત થતાં તે પૃથ્વીમાં, અંતરીક્ષઆકાશમાં, દિશા અને વિદિશામાં ચાલ્યા જતો નથી, પણ કેવળ સ્નેહ (તેલ)ને ક્ષય થવાથી તે શાંતિને પામે છે તેવી રીતે જીવ પણ નિવૃત્તિ (નિર્વાણ)ને પ્રાપ્ત થતાં પૃથ્વી, આકાશ, દિશા કે વિદિશામાં જતો રહેતો નથી, પણ કેવલ કુલેશન ક્ષય થવાથી તે શાંતિને પામે છે. ૧–૫. આ સૌગતને મત તદન અયુક્ત છે; કારણ કે જે તેમ હોય તે ચારિત્ર લેવા વગેરે પ્રયાસ નિરર્થક થાય છે. વળી તેમાં આપેલું દીપકનું દૃષ્ટાંત પણ ઘટતું નથી; કારણ કે દીપકની અગ્નિનો સવથા વિનાશ જ નથી. તે તો તેવી જાતિના પુદગલના પરિણામની વિચિત્રતા છે; એટલે અગ્નિના પુદગલે પિતાના દેદીપ્યમાનરૂપને ત્યાગ કરી અંધકારના રૂપાંતરને પામે છે, તેમ દવે બુઝાઈ જતાં કેટલાએક કાળ અંધકારના પુદગલરૂપ વિકાર પ્રાપ્ત થાય છે, તે પુનઃ ચિરકાલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy