SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ શ્રી આત્મ પ્રબંધ દિકનો અનુભવ અપ્રાપ્ત થાય અને આ લોકમાં તે જીવ અનેક પ્રકારના સુખદુઃખનો અનુભવ કરે છે, તેથી તે વિચિત્ર સુખદુઃખને અનુભવ નિહેતુક નથી. તે શી રીતે ? નિહેતુકપણું છતાં નિષ્પન્ન એવો આત્મા કમળના પત્રની પેઠે નિલેપ હોય છે. તે ઉપરથી એ સિદ્ધાંત થાય છે કે, સર્વકાલે એ સદભાવના અભાવને પ્રસંગ પ્રાપ્ત થવાથી તેમ થાય છે માટે આ જીવને સુખદુઃખના અનુભવનું કારણ પિતાના કરેલા કર્મ જ છે; બીજું કોઈ નથી. તે ઉપરથી એમ પણ સિદ્ધ થયું કે, એ જીવ કર્મોને કર્તા છે; આથી કપિલના મતને નિરાસ કરે છે. અહીં કોઈ શંકા કરે કે, “ આ જીવ તો સર્વકાલે સુખાભિલાષી જ છે કોઈ કાળે તે દુઃખની વાંછના રાખતો નથી, ત્યારે તે પોતે કર્મોને કર્તા થઈ દુઃખના દલને આપનારા કર્મો કરે છે?” તેના ઉત્તરમાં કહેવાનું કે, જેમ રાગી માણસ રોગની નિવૃત્તિ ઈચ્છે છે. તે રેગથી પરાભવ પામી અપથ્ય સેવન કરવા વડે ઉત્પન્ન થવાના ભાવી કષ્ટીને જાણે છે, તે છતાં તે અપથ્ય સેવે છે, તેવી રીતે જીવ પણ મિથ્યાદિકથી પરાભવ પામવા છતાં અને કોઈ પ્રકારે તે જાણવા છતાં પણ દુઃખના ફળને આપનારા કર્મોને કરે છે; તેથી તેમાં કોઈ જાતનો દોષ આવતો નથી. ૪ કતં ચ વેદયતિ : તે જીવ કરેલા કર્મને વેદે છે, એટલે તે કરેલા શુભાશુભ કર્મોને ભેગવે છે. તેનું અંગીકારપણું અનુભવ પ્રમાણ, લોકપ્રમાણ અને આગમપ્રમાણથી સિદ્ધ થાય છે જે સ્વકૃત કર્મના ફળને ભેગવનાર જીવને અંગીકાર ન કરીએ તો સુખદુઃખના અનુભવનું કારણ સાતા અસાતા વેદનીય કર્મને ઉપગ નહિ થાય અને તેમ છતે જીવને સિદ્ધ અને આકાશની પેઠે સુખદુઃખને અનુભવ થશે નહીં. અને આ વાત તે પ્રસિદ્ધ છે કે દરેક પ્રાણીને સુખદુઃખનો અનુભવ સ્વસંવેદન જ્ઞાનથી પ્રત્યક્ષપ્રમાણ વડે સિદ્ધ છે. તે માટે અનુભવ પ્રમાણથી જીવને પોતાના કરેલા કામનું ભોગવવાપણું સિદ્ધ થવું તેમ લોકને વિષે પણ આજીવ પ્રાયે કરીને કર્મોનો ભક્તા સિદ્ધ જ છે. જેમ લેકને વિષે કોઈ પુરૂષને સુખી દેખી બીજા લોક કહે છે કે, “આ પુરૂષ પુણ્યવાન છે તેથી આવા સુખને અનુભવ કરે છે.” તેને માટે જૈન આગમમાં આ પ્રમાણે કહેલું છે. “सव्वं च पएसतया भुंजइ, कम्ममणुभावउभइयं" સર્વને પ્રદેશપણે ભેગવે, તથા વિપાકપણે ભેગવે ઉભય પ્રકારે ભેગવે છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy