SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ શ્રી આત્મ પ્રાધ છે કે, પિતાએ સંતાયેલા બાળક માતાને શરણે જાય છે માતાપિતાથી પિરતાપ પામેલા બાળક રાજાને શરણે જાય છે. અને રાજાથી સ`તાપેલા મહાજનને શરણે ાય છે હે રાજા જ્યાં માતાપિતા પોતે પુત્રનું ગળુ` મરડી તેને મારવાં તૈયાર થાય છે, તેમાં રાજા પ્રેરક છે અને મહાજન દ્રવ્ય આપી હણવાને માટે ગ્રહણ કરે છે, ત્યાં એક પરમેશ્વર સિવાય ખીજા કોની શરણે જવું? અને કોની આગળ તે દુઃખ નિવેદન કરવુ? હવે તો પરમેશ્વરનુ' શરણ લઇ થૈ ને ધારણ કરી દુઃખ સહન કરવું. મહારાજા, આવા વિચાર કરવાથી મારા મનમાં મરણને રોક થતા નથી.’ ઈન્દ્રદત્તના આ વચને સાંભળી રાજાનુ' હૃદય કરૂણારસમાં મગ્ન થઇ ગયું. તેણે આર્દ્ર હૃદયથી જણાવ્યું, “ લાકો, તમે શા માટે આ દીન બાળકને હવા તત્પર થયા છે ? આવું પાપ કરવાની શી જરૂર છે ? પાપના હેતુ રૂપ એવા આ નગર અને તેના સ્થિર દરવાજાની મારે કાંઈપણ જરૂર નથી. આ જગતમાં સત્ સંસારી પ્રાણીએ વિતના અર્થી છે, કોઈપણ મરણની ઈચ્છા કરતું નથી. તેથી આત્માના હિતેચ્છુ પુરૂષોએ કોઈ પણ જીવની હિંસા ન કરવી જોઈ એ. સવાને વિષે અનુકપા રાખવી જોઈ એ.” આ પ્રમાણે રાજાને દયા ધર્મમાં દૃઢ રહેલ તથા ઈન્દ્રદત્તને સત્ત્વવત દેખી તે નગરની પ્રતાલીના અધિષ્ઠાચકદેવ પ્રસન્ન થઈ ગયા. તત્કાળ તેણે તે અનેની ઉપર પુષ્પની વૃષ્ટિ કરી અને તે દરવાજાને સના જોતાં સ્થિર કરી દીધા, તે દેખાવ જોઈ સવ નગરજને વિસ્મય પામી ગયા. પછી રાજાના ગુણાનુ` કીર્તન કરતા અને દયામય જૈનધમ ની અનુમાદના કરતા લોકો રાજની સાથે મેટા ઉત્સવ સહિત નગરમાં પેઠા હતા. પેલા ઇન્દ્રદત્ત પણ હ પામતા પેાતાના માતાપિતાની સાથે ઘેર ગયા. ત્યારથી ઘણા ભવ્યજનાએ દયામય જૈનધર્મીને અંગીકાર કર્યા હતા. એ પ્રમાણે અનુકંપા નામે સભ્યત્વના ચાથા લક્ષણ ઉપર સુધ રાજાનુ દૃષ્ટાંત કહેવામાં આવ્યુ, એવી રીતે બીજા પણ ભવ્યજનાએ આત્મધને આલેખવનારા, અને સર્વ સુખની શ્રેણીને પ્રતિપાદન કરનારા એ અનુકપા લક્ષણને ધારણ કરી જગના સર્વાં પ્રાણી ઉપર અનુકંપા રાખવી. સમ્યક્ત્વનું પાંચમું લક્ષણ આસ્તિકતા, જેની મતિ અસ્તિપણાને વિષે હાય તે આસ્તિક કહેવાય છે. તે આસ્તિકપણાના ભાવ અથવા ક્રિયા તે આસ્તિકતા અથવા આસ્તિકચ કહેવાય છે, અન્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy