SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકાશ સંસ્કૃત પાઠ બોલ્યા હતા. એ સંસ્કૃત વાક્ય વૈદ પૂર્વની આદિમાં રહેલું હતું. એક દિવસે દિવાકરે પોતાના ગુરુને પુછયું કે, “આપણા સર્વ જૈન આગમો પ્રાકૃત ભાષામાં છે, તે સંસ્કૃતમાં હોય તો કેવા બને? જે આપની આશા હોય તો હું તે સર્વને સંસ્કૃતમાં ગોઠવી દઉં. ત્યારે ગુરુએ સિદ્ધસેન દિવાકરને નીચેનાં કલોકથી કહ્યું "बालस्त्री मंदमूर्खाणां, नृणां चारित्रकांक्षिणाम् ।। લuહાથ તરફ઼, સિદ્વાંતઃ ત્રાકૃતઃ કતા” શા બાળ, સ્ત્રી, મંદબુદ્ધિ અને મૂખ એવા ચારિત્રને અભિલાષી પુરૂષ પર અનુગ્રહ કરવા માટે તત્વજ્ઞ પુરુષોએ જૈન સિદ્ધાંતને પ્રાપ્ત કરેલો છે. તેથી હે શિષ્ય! તારા હૃદયમાં પ્રાકૃત આગમને સંસ્કૃત કરવાની જે સ્કુરણ થઈ, તેથી તેને પ્રાયશ્ચિત્ત લાગ્યું છે. અને તેથી તને ગચ્છની બહાર કાઢી મૂકવાની શિક્ષા કરવામાં આવે છે. આ પ્રમાણે કહી તે આચાર્ય સિદ્ધસેન દિવાકરને ગચ્છની બહાર મૂકી દીધા હતા. આ વખતે સમસ્ત સંઘે આવી સૂરિવરને વિનંતી કરી કે, સ્વામી સિદ્ધસેનદિવાકર કવિત્વ વગેરેના ગુણોથી યુક્ત છે, તેથી તે શાસનના પ્રભાવક છે, માટે તેમને ગચ્છની બહાર મુકવા ન જોઈએ. આ પ્રમાણે સંઘના અતિ આગ્રહપૂર્વક કહેવાથી ગુરૂએ કહ્યું કે તે સિદ્ધસેન દિવાકર દ્રવ્યથી મુનિશને ત્યાગ કરી અને ભાવથી મુનિવેષને ધારણ કરી અનેક પ્રકારના તપ કરતાં છેવટે અઢાર રાજાઓને પ્રતિબંધ પમાડી જૈનો કરશે અને એક નવું તીર્થ પ્રગટ કરશે, ત્યારે હું તેને ગચ્છની અંદર લઈશ. તે સિવાય લેવામાં આવશે નહીં.” ગુરુના આ વચન સાંભળી સિદ્ધસેનદિવાકરે વિચાર કરી તે ગુરુના વચનને અંગીકાર કર્યું અને ત્યાંથી વિહાર કરી તેઓ ઉજ્જયિની નગરીમાં આવ્યા. એક વખતે સિદ્ધસેન દિવાકર કોઈ શેરીમાંથી બીજી શેરીમાં પેશતા હતા, તેવામાં જોડા ખેલવવા માટે જતાં એવા વિક્રમ રાજાએ તેમને જોયા. તત્કાળ રાજાએ દિવાકરને પૂછયું, કે “તમે કોણ છો ? સિદ્ધસેન દિવાકરે ઉત્તર આપ્યો,” અમે સર્વજ્ઞ પુત્ર છીએ. “તત્કાળ રાજાએ તેમને માનસિક નમસ્કાર કર્યો સિદ્ધસેન દિવાકરે તેમને ઉંચે સ્વરે ધર્મલાભ દીધે. ત્યારે રાજાએ આશ્ચર્યથી પૂછયું કે “તમે કોને ધમલાભ આપ્યો” “ દીવાકરે કહ્યું “જેને અમોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy