SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકાશ તાપને પ્રતિબોધ આપ્યો. આચાર્યના પ્રતિબંધથી જેમના હૃદયમાં સવ મિથ્યાત્વ મળ નાશ પામ્યા છે, એવા તે તાપસોએ પ્રતિબંધ પામી તે આચાયની દીક્ષા ગ્રહણ કરી હતી. તે તાપસ સાધુઓથી બ્રહ્મદીપિકા નામે એક શાખા ચાલી છે તે આગમમાં પ્રસિદ્ધ છે. આ પ્રમાણે મહાનુભાવ આસમિતસૂરિ તે પાખંડીઓના તીવ્ર મતનું ખંડન કરી, જિનમતની ભારે પ્રભાવના વધારી, અને તે ઉત્કૃષ્ટ એવા જિનમતને વિષે રક્ત થયેલા ભવ્યજનોના મનને હર્ષમય કરી ત્યાંથી બીજે સ્થળે વિહાર કર્યો હતો. ત્યાં રહેલા સર્વ શ્રાવકે અનેક પ્રકારની ધમક્રિયા વડે જિનશાસનની ઉન્નતિ કરતાં સુખે શ્રાવક ધર્મ પાળતાં અનુક્રમે સદ્દગંતના ભાજન થયા હતા. આ પ્રમાણે તે આર્યસમિતસૂરિનું દૃષ્ટાંત સિદ્ધ નામના શાસનના સાતમાં પ્રભાવક વિષે જાણવું. શાસન કવિ નામનો આઠમો પ્રભાવક. જે નવનવા વચનોની રચનાઓથી સુશોભિત, શ્રોતૃવગના મનને હર્ષ ઉત્પન્ન કરનાર અને અનેક ભાષાએ ગ્રંથિત એવા ગઘમય તથા પદ્યમય પ્રબંધાનું વર્ણન કરે તે કવિ કહેવાય છે. આપણું સત્યધર્મની વૃદ્ધિને અથે સુંદર તથા રસિક વચનોની રચના કરી રાજા પ્રમુખ ઉત્તમજનોને તે પ્રતિબોધે છે, તેથી તે કવિ શાસનનો આઠમો પ્રભાવિક ગણાય છે. તે ઉપર સિદ્ધસેન દિવાકરનું દૃષ્ટાંત આપવામાં આવે છે. સિદ્ધસેન દિવાકરનું દષ્ટાંત ઉજયિનીનગરીને વિષે શ્રી વિક્રમાદિત્ય નામે રાજા હતો. તેને દેવયિકા નામની માતાની કુક્ષિમાંથી ઉત્પન્ન થયેલો અને સર્વ વિદ્યામાં પ્રવીણ એ મુકુંદ નામે એક પુરોહિત પુત્ર હતો. એક વખતે તે મુકુંદ વાદ-વિવાદ કરવાને માટે ભગુપુર (ભરૂચ) તરફ ચાલ્યા. રસ્તામાં ચાલતા જેનેના ગુરૂ વૃદ્ધવાદી આચાર્ય તેને સામા મળ્યા. તેમની સાથે એ મુકુંદ વાદ કરવાને તૈયાર થયો. તે વખતે બંનેની વચ્ચે એવી પ્રતિજ્ઞા કરવામાં આવી છે, જે કોઈ જેનાથી હારે તે તેનો શિષ્ય થાય. આવી પ્રતિજ્ઞા કરી તેમણે તેજ સ્થળે કોઇના ક્ષેત્રમાં વાદનો પ્રારંભ કર્યો, તે સ્થળે હારજીતમાં સાક્ષી તરીકે ગોવાળીયાઓને રાખવામાં આવ્યા. તત્કાળ મુદે આચાર્યની સાથે પ્રથમવાદનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy