SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યોતિર્ધરની જીવન ગાથા – પરિશિષ્ટ - ૨ [શ્રી વીરચંદ ગાંધીના જીવનની સાલવારી શ્રાવણ વદ ૮, વિ.સં. ૧૯૨૦ મહુવામાં શ્રી રાઘવજી ગાંધીને ત્યાં તા. ૨૫મી ઑગસ્ટ, ૧૮૬૪ શ્રી માનબાઈની કૃષિએ જન્મ. ઈ.સ. ૧૮૭૨-૭૩ – મહુવાના હેડમાસ્તર અને ઈન્સ્પેક્ટરની ભલામણથી હાઈસ્કૂલના અભ્યાસ માટે સહફુટુંબ ભાવનગર, ૧૮૭૯ – લગ્નગ્રંથિથી જોડાયા. ૧૮૮૦ – મૅટ્રિક્યુલેશનની પરીક્ષા ભાવનગરની આફ્રેડ હાઈસ્કૂલમાંથી પસાર. ગોહિલવાડ જિલ્લામાં પ્રથમ – સર જશવંતસિંહજી સ્કોલરશિપ મેળવી. ૧૮૮૦ – ઉચ્ચ અભ્યાસ માટે સહફટુંબ મુંબઈ આવ્યા. એલફિન્સ્ટન કોલેજમાં પ્રવેશ. ૧૮૮૪ – મુંબઈ યુનિવર્સિટીની બી.એ. (ઑનર્સ)ની પદવી. જૈન સમાજમાંથી પ્રથમ સ્નાતક. ૧૮૮૪ – શ્રી જૈન એસોસીએશન ઓફ ઈન્ડિયાના મંત્રી તરીકે વરણી, જાહેર જીવનના શ્રીગણીશ. ૧૮૮૫ - શત્રુંજય કેસ સંબંધમાં જુબાનીઓ લઈ એમણે મુંબઈ, અમદાવાદ, પૂના વગેરે સ્થળોએ અરજી કરી ગવર્નર સાહેબને મળી ઈન્કવાયરીનો હુકમ મેળવ્યો. ૧૮૮૫-૮૬ - મેસર્સ લીટલ, સ્મીથ, ફ્રેઅર એન્ડ નિકોલસન, સરકારી સોલિસિટર્સની પેઢીમાં આર્ટિકલ્ડ ક્લાર્ક તરીકે જોડાયા. ૧૮૮૬ – એપ્રિલ - શત્રુંજય પર યાત્રાએ જનારને આપવો પડતો મુંડકાવેરો બંધ થયો. એ કેસમાં કર્નલ વોટ્સન અને મુંબઈના ગવર્નર લૉર્ડ રેને મળી, સમજાવી, ચુકાદો તરફેણમાં આયો. ૧૮૮૬ – ડિસેમ્બર-શત્રુંજય તીર્થ પર લૉર્ડ રેને માનપત્ર આપવામાં આવ્યું. ૧૮૮૬-૮૭ – મક્ષીજી તીર્થ સંબંધી ઝઘડાનો નિકાલ. ૧૮૯૦ – પિતાશ્રી રાઘવજીભાઈનો સ્વર્ગવાસ. પિતાની આજ્ઞા : મારી પાછળ રડવું નહીં. ભોંયે ઉતારવો નહીં. સ્મશાનમાં અળગણ પાણીએ નહાવું નહીં. મરણ ખર્ચ કરવો નહીં.' વગેરેનો અમલ પણ કર્યો. ૧૮૯૧ – બેડમ સાહેબે સમેતશિખર પર ચરબીના કારખાના સંબંધમાં આપેલા જવાબ પછી હાઈકોર્ટમાં અપીલ થઈ ત્યારે કલકત્તા ગયા. બંગાળી ભાષા શીખ્યા અને ઐતિહાસિક દસ્તાવેજો રજૂ – પપ ]> પપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005204
Book TitleJyotirdharni Jivan Gatha Virchand Raghavji Gandhi
Original Sutra AuthorN/A
AuthorPannalal R Shah
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy