SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ જળમાં સ્ટેજ II = = +-- -- - - શ્રી મહાવીરસ્વામીનું દિગંબર મંદિર મૂળનાયક મહાવીરસ્વામીની પ્રતિમા ૧૬ ઈંચ ઊંચી, સિંહ ચિહ્નઅંકિત છે. સંવત ૧૬૭૧ (ઈ.સ. ૧૬૧૫)માં આની પ્રતિષ્ઠા થયેલી. આગળ શ્રી કાષ્ટાસંઘે ૐ નમઃ લખેલું છે, તેમ જ નીચે વચ્ચે પદ્માવતી છે ને આજુબાજુ બે સિંહ ને બે વાઘ છે. આદિનાથની મૂર્તિ સફેદ પાષાણમાં છે. અને તે ૧૯ ઈંચની ઊંચાઈવાળી છે. ચાંદીની પ્રતિમા પાર્શ્વનાથની છે, અને તે ૩ ઈંચની છે. પ્રવાલ(પરવાળા)ની મૂર્તિ, ભોંયરામાં કસોટીના પથ્થરની ત્રણ સુંદર મૂર્તિઓ તેમ જ ધાતુની મૂર્તિઓ, ચાંદીનાં યંત્રો, તાંબાનાં યંત્રો, સિદ્ધચક્ર વગેરે વિપુલ પ્રમાણમાં લાકડાની સુંદર વેદીમાં પૂતળીઓ, ચૌદ સ્વપ્નો અને અષ્ટમંગળનું સુંદર કોતરકામ છે. લાકડામાં એ સ્તંભો પર વાજિંત્ર વગાડતી પૂતળીઓ છે. આ મંદિરમાં ભારોઠિયા પર ચિત્રો છે. આ ચિત્રો કદમાં નાનાં છે અને સૂક્ષ્મ રેખાઓવાળી સુડોળ આકૃતિ ધ્યાન ખેંચે છે. ચિત્રો સીમિત રંગોમાં છે અને મરાઠા તથા યુરોપીય પ્રભાવનાં છે. વાજાંવાળા અને પોલિસો પણ છે. દરેક ચિત્ર પર વિષયનું નામ લખેલું છે જેમ કે નામકર્મ, ગોત્રકર્મ, અંતરાયકર્મ આયુકર્મ, વદનકર્મ, મોહનીકર્મ, દદર્શનાકર્મ, જ્ઞાનવર્ણાકર્મ. અને છ આંધળાઓ હાથીની પરીક્ષા કરે છે તે દેશ્ય પણ છે. શ્રી આદિનાથનું મંદિર આદિનાથના મંદિરના ભોંયરામાં મૂલનાયક આદિનાથની કાળી મૂર્તિ છે, ઊંચાઈ ૩૩ ઈંચ છે. પદ્માસનવાળી આ મૂર્તિ અતિ પ્રાચીન, બળદના ચિહ્નવાળી છે. એક બીજી મૂર્તિ પદ્મપ્રભુની છે. કાળા પથ્થરની આ મૂર્તિ ૨૯ ઈંચ ઊંચી છે. પહેલે માળે ચંદ્રપ્રભુની અતિપ્રાચીન મૂર્તિ સફેદ પાષાણની છે, તેની ઊંચાઈ ૧૮ ઈંચ છે. આ ઉપરાંત ધાતુની મૂર્તિઓ, સિદ્ધચક્ર, યંત્રો ઇત્યાદિ છે. લાકડાની સુંદર વેદિકા છે, લાકડાની પૂતળીઓ પણ છે. સમેતશિખરનું ચિત્ર ફ્રેમમાં મઢેલું છે. શ્રી નેમિનાથનું દિગંબર મંદિર મૂળનાયક શ્રી નેમિનાથ સ્વામીની પદ્માસનસ્થિત પાષાણ મૂર્તિ ૨૮ ઈંચ ઊંચી અને ૨૦ ઈંચ પહોળી છે. તે ઉપરાંત ધાતુની મૂર્તિઓ, તાંબાનાં, ચાંદીનાં અને કાંસાનાં યંત્રો છે. વળી શાંતિનાથનું શ્વેતાંબર જૈન મંદિર પણ અહીં છે. આ વિશાળ મંદિર નવું બંધાયું છે. આ મંદિરની ભવ્યતા એના ઘુમ્મટનાં ચિત્રોમાં છે. ચોવીસ તીર્થકરોનાં તૈલચિત્રો સુંદર અને સુરેખ છે, જોકે આ ચિત્રો ઘણાં અર્વાચીન છે. મુખ્ય દ્વારમાં પ્રવેશતાં ડાબી બાજુના ખંડમાં વિશાળ પટચિત્ર છે. આ પટની વિશાળતાને કારણે એમાં ઘણી વિગતો ચિતરાયેલી છે. આ પટની શૈલી ભરૂચના મંદિરના પટ જેવી છે અને એથી અનુમાન થાય છે કે એ બંને પટ એક જ ચિત્રકારના હશે. સજોદનું શ્રી શીતળનાથસ્વામી દિગંબર તીર્થક્ષેત્ર અંકલેશ્વર શહેરથી પશ્ચિમમાં ૯ કિ.મી.ના અંતરે સજોદ ગામ આવેલું છે. પ્રાચીન દંતકથા પ્રમાણે શ્રી શીતળનાથ સ્વામીની પ્રતિમા ૧ કિ.મી. દૂર પશ્ચિમે આવેલા રામકુંડમાંથી પ્રાપ્ત થઈ હતી. રામકુંડ એ કુદરતી ઝરણાવાળા પાણીનો કુંડ છે. જેના ખોદકામ દરમિયાન બે પર : જૈન કાષ્ઠપટ-ચિત્ર Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005203
Book TitleJain Kashtapat Chitra
Original Sutra AuthorN/A
AuthorVasudev Smart
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2002
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy