SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ રે એ ભરૂચની સુધરાઈની સભામાં ભાષણ કરતાં જણાવેલું કે “નદીને સામે કાંઠેથી મેં પહેલવહેલું ભરૂચ જોયું ત્યારે મને એવો વિચાર આવ્યો કે ટેમ્સ નદીના કિનારે આવેલા લંડનનો જ કોઈ ભાગ છે”. ભરૂચનાં જૈન તીર્થધામો એક જાણીતા ભૂસ્તરશાસ્ત્રીએ કહ્યું છે કે જૈન સંપ્રદાયનો ઇતિહાસ ભારતભૂમિનો મહાન ને ભવ્ય ઇતિહાસ છે. ભારતભૂમિ પર કોઈ પણ રાજ્યમાં પાંચ માઇલનું એક કુંડાળું કરી ખોદકામ કરો તો કળા અને સંસ્કૃતિથી સમૃદ્ધ એવી પરંપરાનો નાનકડો અવશેષ પણ ન મળે તેવું બને જ નહીં. આ ગૌરવવંતી ઇતિહાસગાથામાં જૈન તીર્થોનું ગૌરવભર્યું સ્થાન છે. ભરૂચ તીર્થનો ઇતિહાસ ઘણો પ્રાચીન છે. અહીં કયા કયા આચાર્યમહારાજ પધાર્યા, કયા કયા મહાન શાસનપ્રભાવનાં કાર્યો થયાં એનો વિસ્તૃત ઇતિહાસ જૈન સાહિત્યમાં સારી રીતે આલેખાયેલો છે. ભરૂચ જિલ્લાનાં પંચતીર્થોમાં મુખ્ય આ પ્રમાણે છે : ૧. ભરૂચ તીર્થ - શ્રી મુનિસુવ્રત સ્વામીની વિહારભૂમિ ૨. કાવી તીર્થ - શ્રી ઋષભદેવ, શ્રી ધર્મનાથ ૩. ગાંધાર તીર્થ - શ્રી પાર્થપ્રભુ, શ્રી મહાવીર પ્રભુ ૪. દહેજ તીર્થ - શ્રી મહાવીર પ્રભુ ૫. ઝગડિયા તીર્થ - શ્રી આદીશ્વર પ્રભુ ભરૂચ નગરમાં અતિપ્રાચીન શ્રી મુનિસુવ્રત તીર્થ અને બીજાં જિન મંદિરો ખાસ્સાં છે : ૧. શ્રી આદીશ્વર પ્રભુનું જિન મંદિર - શેઠ અનુપચંદ પોળની સામે ૨. શ્રી અનંતનાથ પ્રભુનું મંદિર – શેઠ અનુપચંદ પોળની સામે ૩. શ્રી શાંતિનાથ પ્રભુનું મંદિર – શેઠ અનુપચંદ પોળની સામે ૪. શ્રી મુનિ સુવ્રતપ્રભુનું મંદિર - ઊંડી વખાર ૫. શ્રી આદીશ્વર પ્રભુનું મંદિર - વેજલપુર ૬. શ્રી અજિતનાથ પ્રભુનું મંદિર – કબીરપુરા ૭. શ્રી શાંતિનાથ પ્રભુનું ગૃહમંદિર – પ્રીતમનગર સોસાયટી - ૨ ૮. શ્રી શાંતિનાથ પ્રભુનું ગૃહમંદિર - ભૃગુપુર સોસાયટી ૯. શ્રી સિદ્ધાચલાદિ તીર્થપટ, પ્રભુપાદુકા, પાંજરાપોળ સાહિત્ય-વ્યાકરણ, આગમ, સમસ્ત શાસ્ત્રો વગેરેના વિદ્વાન આચાર્ય મહામહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજે જોધપુરમાં ચાતુર્માસ દરમિયાન ભાદવા મહિનામાં એમના ગુરુવર્યશ્રી વિજયપ્રભસૂરીશ્વરજીને ઉદ્દેશીને “ઇન્દુદૂત' કાવ્ય લખ્યું હતું. આ મુનિશ્રી ત્યારે સૂર્યપુર-સુરતમાં રહેતા હતા. આ કાવ્યમાં સૂર્યપુર નગર જવાના માર્ગમાં જે જે સ્થળો આવે છે એનું તથા આસપાસની પ્રકૃતિનું કાવ્યમય વર્ણન મળે છે. મહાકવિ કાલિદાસે “મેઘદૂત'માં યક્ષ દ્વારા મેઘને ઉદ્દેશીને વર્ણન કર્યું છે એ પ્રમાણે ચન્દ્રને સંબોધીને આ કાવ્ય લખાયું છે. એમાં સોનગઢ, શિરોહી, આબુ, અચલગઢ, સિદ્ધપુર, રાજનગર, અમદાવાદ, સાબરમતી નદી, વડોદરા, ભરૂચ અને નર્મદાનું પણ વર્ણન કર્યું છે. અંતે સૂર્યપુર અને તાપી નદીનું મનોરમ વર્ણન કર્યું છે. વિશેષ વાત એ છે કે એમાં સુરતના ગોપીપુરાનાં જૈનમંદિરો અને ઉપાશ્રયોનું વર્ણન પણ મળે છે. મહારાજશ્રીએ ભરૂચનું વર્ણન નીચે પ્રમાણે કર્યું છે. अत्यासन्नं भृगुपुरमितो यास्यसि प्रौढदुर्गम्, दुर्गन्धांशो ज्झितमतिसुरै भूरिपोरैः परीतम् ।। भूपीठे मत्सदृशमपरं वर्तते वा नवेति, द्रष्टुं ,गान्तरमिव समारढमुच्चप्रदेशम् ।।८२।। WE5gp> જૈન કાષ્ઠપટ-ચિત્ર : ૪૩ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005203
Book TitleJain Kashtapat Chitra
Original Sutra AuthorN/A
AuthorVasudev Smart
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2002
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy