SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - ---- થોડા સુધારાવધારા થયેલા છે એટલે આકૃતિઓમાં વિકૃતિ દેખાય છે. પરંતુ દૂરથી જોતાં આ વિશાળ જૈન પંરપરાનું અદ્ભુત ઉદાહરણ જણાય છે. રંગમંડપની છતોમાં લાકડાનું સુંદર કોતરણીકામ હતું જે મંદિર ઉતારી લેવાને કારણે નષ્ટ થયું છે. એમાં સુંદર લયાન્વિત પુનરાવર્તિત આકારની ભાતો લાલ, સફેદ, અને સોનેરી રંગથી ચિત્રિત હતી. આ મંદિરના થાંભલાઓ પર મોટા કદની પૂતળીઓ ખૂબ સુંદર અને પ્રાચીન કાષ્ઠ શિલ્પકળાના ઉત્તમ નમૂના રૂપ છે. દિગંબર સંપ્રદાયનું શ્રી ચંદ્રપ્રભુસ્વામીનું મંદિર એમાં પ્રસ્થાપિત પંચધાતુની મૂર્તિઓને કારણે નવી જ ભાત પાડે છે. તીણી નાસિકા, તીરછી આંખો, ચોરસ મુખાકૃતિ, ઉપસેલું વક્ષ:સ્થળ પ્રતિમાનું દેવત્વ અને ઓજસ ભાવકોને પ્રભાવિત કરે છે. બધાં જ મંદિરોનાં પૂજાનાં ઉપકરણો અને અન્ય વસ્તુઓ કલાકારીગરીથી ખચિત હોય છે, જે આજે પણ જોવા મળે છે. દુઃખદ ઘટના એ છે કે જૈનમંદિરોની प्रवेश પ્રાચીન પરંપરા લગભગ નષ્ટ થઈ ગઈ છે. નવાં મંદિરોનાં નિર્માણ થવાથી જૂની કળાત્મક વસ્તુઓ મંદિરો ઉતારતાં નાશ પામે છે અથવા વેચી દેવામાં આવે છે. નવાં મંદિરોના આરસના પટો, તૈલરંગમાં ચિત્રોત પટો અને प्रदक्षिणा - पथ ગ્લાસ મોઝેઇકમાં કરેલા વિશાળ ચિત્રપટો જોવા મળે છે. કેટલાક મંદિરોનું આવું વાતાવરણ કલારસિક જીવને આશ્વસ્ત કરતું નથી. જૂનાં હાંડીઝુમ્મરો , પદચિત્રો, સ્તંભો, કુંભીઓ, गर्भगृह પૂતળીઓ તથા જાળીઓ અને સુંદર દ્વારા વગેરેને કારણે પ્રગટતું અવર્યુ ઐશ્વર્ય હવે આ મંદિરોમાંથી અદૃશ્ય થઈ ગયું છે. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું ભવ્ય મંદિર આ મંદિર સુરતમાં મિશન હાઈસ્કૂલ પાસે શાહપોર વિસ્તારમાં આવેલું છે. એમ કહેવાય છે કે મિશન સ્કૂલથી વરીઆવી ભાગળ તરફ જવાના રસ્તે જે સામી મસ્જિદ આવે છે ત્યાં પહેલાં બાવન જિનાલયનું શ્વેતામ્બર જૈન દેરાસર હતું. મુસ્લિમોએ તે દેરાસર તોડીને ત્યાં મસ્જિદ બાંધી હતી. તોડી પડાયેલા દેરાસરન સ્થાને તેથી તેની નજીક આ નવું દેરાસર બાંધવામાં આવ્યું હતું. ‘શ્રી સંભવજિન સ્તવનાવલિ' નામના પુસ્તકમાં સુરતમાં શ્વેતામ્બર જૈન મંદિરો વિશે માહિતી આપવામાં આવી છે. તેમાં જણાવ્યા પ્રમાણે આ મંદિરની પ્રતિષ્ઠા વિ.સં. ૧૭૫૫ (ઈ.સ. ૧૬૯૯)ની ચૈત્ર સુદ પૂર્ણિમાને ગુરુવારે મોગલ બાદશાહ ઔરંગઝેબના સમયમાં શ્રી વૃદ્ધિસાગરસૂરિના હસ્ત થઈ હતી. તે પછી તેનો જીર્ણોદ્ધાર વિ.સં. ૧૯૫૮ (ઈ.સ. ૧૯૦૨)ની આસપાસ થયો હતો. મંદિરના બહારના ભાગમાંથી ઘુમ્મટ શ્રી ચિંતામણિ મંદિર સ્થાપત્યનો નકશો ફિTT gg ----- ---- प्रदक्षिणा पथ - - - "ષ ' | | प्रवेश रणमंत ૩): જૈન કાષ્ઠપટ-ચિત્ર Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005203
Book TitleJain Kashtapat Chitra
Original Sutra AuthorN/A
AuthorVasudev Smart
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2002
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy