SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ kઝ, છે કેટમાં દિવાની કેસ દાખલ કર્યો. તાંબરો તરફથી શા. હૌશીલાલ પાનાચંદ (બાલાપુર ) શા. કલ્યાણચંદ લાલચંદ ( યેવલા ) વિગેરે પાંચ જણ હતા. વિરુદ્ધમાં હોનાસા રામાસા વિગેરે ૨૨ જણ સામે કેસ માંડવામાં આવ્યો હતો. શ્વેતાંબરો તરફથી ધાર્મિક લાગણી દાખવવા બદલ, લેપને નુકશાન કરવા બદલ તેમજ પેઢીની આવકને હાનિ પહોંચાડવા વિગેરે બદલ રૂા. ૧૫૪૨૫ નો દાવો દિગંબરો સામે કરવામાં આવ્યો હતો અને શ્રી અંતરિક્ષની પ્રતિમા શ્વેતાંબર આપ્નાય પ્રમાણે જ છે, પ્રતિમાજીની પૂજા કરવાને વેતાંબરોને અબાધિત અને સંપૂર્ણ અધિકાર છે. તેમજ કચ્છોટ અને કટિસૂત્રવાળો લેપ કરવામાં અને ચક્ષ-ટીકા-મુગટ વિગેરે આભૂષણ ચડાવવામાં હરકત કરવાને દિગંબરાને કોઈ જ અધિકાર નથી એ જાતની કેટ પાસેથી માગણી કરવામાં આવી, અર્થાત આ તીર્થ શ્વેતાંબરી જ છે એ જાતની જાહેરાત કેટ પાસેથી માગવામાં આવી. આના સમર્થનમાં ૬૦ ૦ જેટલાં વહીવટી તથા શાસ્ત્રીય વિગેરે પુરાવા રજુ કરવામાં આવ્યા. ૧ થી ૭ નંબરના આરોપીઓ ઉપર લેપ ખોદી નાંખવાનો આરોપ મૂકવામાં આવ્યો. So ઉલટ પક્ષે દિગંબરો તરફથી બધા આરોપોનો ઈન્કાર કરવામાં આવ્યો અને તેમણે પણ એવી જ માગણી કરી કે–આ તીર્થ સર્વથા દિગંબરોનું જ છે એવી કોઈ જાહેરાત કરે. ઈસ્વીસન ૧૯૦૫માં ટાઇમટેબલ કરીને દિગંબરાને પૂજા વગેરેમાં સમાન અધિકાર એક વખત આપીને હવે તીર્થને સર્વાધિકાર ( Absolute Right) માગવાને વેતાંબરને આધકાર નથી. આ જાતનો તેમણે એસ્ટોપલ (Estopell) ( અટકાવવા) નો કાયદો પણ ઉપસ્થિત કર્યો. પક્ષના પુરાવા તથા નિવેદનને તપાસ્યાં અને પક્ષની અનેક વ્યક્તિઓની જબાની લીધી. કમીશને નિમાયાં અંતરિક્ષમાં જાતે જઈને તપાસ પણ કરવામાં આવી. છેવટે સન ૧૯૧૮ ના માર્ચની ર૭ મી તારીખે આલા કેટના વધારાના ન્યાયાધીશે ( Additional District Judge ) ૪૦ પાનાને લંબાણ ચુકાદો આપ્યો. તેમાં તેમણે જણાવ્યું કે તીર્થ અને મૂર્તિ શ્વેતાંબરી જ છે, પરંતુ સન ૧૯૦૫માં તાંબરોએ ટાઇમટેબલ કરતી વખતે રાજીખુશીથી દિગંબરોને પણ અધિકાર આપ્યો હોવાથી હવે વેતાંબરોથી દિગંબરના અધિકારનો ઈન્કાર કરી શકાય નહીં. લેપના સંબંધમાં ન્યાયાધિશે જણાવ્યું કે– પહેલાં પણ જયારે જયારે લેપ કરવામાં આવ્યો હતો ત્યારે ત્યારે કટિસ અને કટનો દેખાવ તેમાં કરવામાં આવતો જ હતો, એમ અનેક પુરાવાઓથી સિદ્ધ થાય છે. સંવત ૧૯૬૪ ( ઇસ્વીસન ૧૯૦૮ ) ના લે૫ વખતે વેતાંબરોએ તેમાં કંઈ પણ ઉમેર્યું હોય એમ હું ક્ષણવાર પણ માની શકતો નથી. આ જજમેન્ટને અનુસરતુ હુકમનામુ પણ સન ૧૯૧૮ ના એપ્રીલની બીજી તારીખે આપવામાં આવ્યું તેમાં મુખ્ય હકીકત નીચે મુજબ છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005202
Book TitleJain Shwetambar Tirth Antriksha Parshwanath
Original Sutra AuthorN/A
AuthorAntriksha Parshwanath Sansthan Shirpur
PublisherAntriksha Parshwanath Sansthan
Publication Year1972
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy