SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરાંત એવો પણ નિયમ ઘડવામાં આવ્યું કે શ્વેતાંબરના પર્યુષણ-પૂર્વના દિવસોમાં શ્રાવણ વદ ૧૦ થી ભાદરવા સુદ ૪ સુધી દિગંબરોએ સવારના ૬ થી ૯ સુધી ત્રણ કલાક જ પૂજા કરવી. બાકીના ૨૧ કલાક વેતાંબર જ કરે. તે જ પ્રમાણે દિગંબરોના દશલક્ષણી (પર્યુષણ) પર્વના ભાદરવા સુદ ૫ થી અનંત ચતુર્દશીભાદરવા સુદ ૧૪ સુધીના ૧૦ દિવસોમાં વેતાંબરોએ સવારના ૬ થી ૯ સુધી જ પૂજા કરવી અને બાકીના ૨૧ કલાક દિગંબરેએ કરવી. કોઈપણ પક્ષના લોકોને ગમે ત્યારે દર્શન કરવા જવાની છૂટ છે, ત્યાર પછી બીજે વર્ષે સં. ૧૯૬૨માં કારંજામાં બંને પક્ષની મીટિંગ મળી અને તેમાં એ સુધારો કરવામાં આવ્યો કે આસો વદ ૧૪ના દિવસે વેતાંબરોએ સવારના ૬ થી ૯ સુધી જ પૂજા કરવી. બાકીના ૨૧ કલાક દિગંબર વિધિ પ્રમાણે તેમજ આસો વદ અમાવાસ્યાને દિવસે સવારમાં ૬ થી ૯ દિગંબર વિધિ પ્રમાણે અને બાકીના ૨૧ કલાક વેતાંબર વિધિ પ્રમાણે પૂજા વગેરે કરવું. આ ટાઈમટેબલ અત્યારે પણ તે જ પ્રમાણે ચાલુ છે. પરંતુ દિગંબરભાઈઓને આટલાથી પણ સંતોષ ન થે. શ્વેતાંબરોનો બધો જ અધિકાર પડાવી લેવાની તેમની મનોવૃત્તિ થઈ અને તેમણે પડદા પાછળ ચાલબાજી શરૂ કરી. જયારે જ્યારે અંતરિક્ષ ભગવાનનો લેપ ઘસાઈ જાય ત્યારે શ્વેતાંબરોજ ફરીથી લેપ કરાવતા હતા. પૂર્વના લેપ પ્રમાણે જ તેમણે સં. ૧૯૬૪ માં લેપ કરાવ્યો અને તેમાં કટિસૂત્ર ( કદર) અને કોટની આકૃતિ પણ પહેલાંની જેમ કરાવી હતી. દિગંબરોએ ગુપ્ત રીતે આવીને કટિસૂત્ર કછોટ વગેરે ભાગેને લોઢાના ઓજારોથી છેદી નાખ્યા, ખાદી નાખ્યા. આ ભયંકર બનાવ સંવત ૧૯૬૪ ના મહા સુદી ૧૨ ને દિવસે (ઇસવી સન ૨૨-૨-૧૯૦૮) ને બન્યો. વેતાંબરોની લાગણીને ભયંકર આઘાત પહોંચ્યો. શ્વેતાંબર મત પ્રમાણે ચક્ષુ, ટીકા તથા આભૂષણ ચડાવવામાં અને નવાંગી પૂજન કરવામાં પણ દિગંબરો તરફથી અવરોધો નાંખવામાં આવ્યા. સમાધાનનો માર્ગ જ ન રહ્યો. આથી છેવટે કંટાળીને તાંબરો એ આકેલા કેટમાં ઈસવીસન ૧૯૧૦ ના ફેબ્રુઆરીની ૧૦ મી તારીખે દિવાની કેસ દાખલ કર્યો. આ કેસ છેવટે, ઠેઠ પ્રીવી કાઉન્સીલ સુધી પહોંચ્યો અને ત્યાંથી સને ૧૯૨૯ માં ચુકાદો આવ્યો, ત્યાં સુધી ચાલ્યો. આ પછી આ જ વરસે પૂજ્યપાદ સ્વર્ગસ્થ શ્રી ૧૦૦૮ સાગરજી મહારાજ મુંબઈથી અંતરિક્ષને સંઘ લઈને આવ્યા હતા તે વખતે પણ ઘણું તોફાન થયું હતું. આ બધા બનાવોથી તાંબરને ઘણો આઘાત પહોંચ્યા. છેવટે થાકીને તેમણે ઈસ્વીસન ૧૯૧૦ ના ફેબ્રુઆરીની ૧૧ મી તારીખે આકેલા જીલ્લાની ( Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005202
Book TitleJain Shwetambar Tirth Antriksha Parshwanath
Original Sutra AuthorN/A
AuthorAntriksha Parshwanath Sansthan Shirpur
PublisherAntriksha Parshwanath Sansthan
Publication Year1972
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy