SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ કુસુમાંજલિ પરમપૂજ્ય, પ્રાતઃસ્મરણીય, મોક્ષમાર્ગ ના દાતા, અનંત ઉપકારી, ગુરૂદેવ મુનિરાજ શ્રી ૧૦૦૮ ભુવનવિજયજી મહારાજ ! અનંત પુણ્યના ઉદયથી પ્રાપ્ય અતિદુભ માનવજન્મ આપીતે, પરમ વાત્સલ્યથી લાલન—પાલન તથા પોષણ કરીને તેમજ ધર્મોના ઉત્તમ સ ંસ્કારો આપીને પિતાશ્રી તરીકે આપે ગૃહસ્થાવસ્થામાં મારા ઉપર અનંત ઉપકારા કરેલા છે. ત્યાર પછી આપે દીક્ષા અંગીકાર કરીને મને પણ એ જ પવિત્ર માર્ગે ચઢાવીને મારે પરમ ઉદ્ધાર કર્યો. દીક્ષા આપ્યા પછી શાસ્ત્રોક્ત વિધી મુજબ અનેક દેશોમાં મને તીર્થયાત્રા કરાવીને, અનેકવિધ શાસ્ત્રોનું અધ્યયન કરાવીને તથા જ્ઞાનદર્શનચારીત્રના ઉત્તમોત્તમ સાંસ્કારાથી મારા આત્માને સુવાસિત કરીને આપે મારા ઉપર અનતાનંત ઉપકારા કરેલા છે. મારા અસંખ્ય અવિનય અને અપરાધોની પરમકૃપાળુ આપે સદા ક્ષમા જ આપી છે. પરમ વત્સલ ગુરુદેવ ! મારું ધ્યેય કેવી રીતે થાય એ માટે આપે સદૈવ ચિંતન કર્યું છે. મારી ઉન્નતિ તથા ઉલ્હાર કરવા માટે આપે આપની મન-વચન કાયાની સર્વ શક્તિઓના સદા ઉપયોગ કર્યો છે. ગુરુદેવ ! આપના મારા ઉપર એટલા બધા અનંત અનંત ઉપકારા છે કે તેનું શબ્દોથી કાઇ પણ રીતે વર્ણ ન થઈ શકે તેમ જ નથી. તેમ તેના અન– તમા ભાગના પણ અલા કાઇપણ રીતે મારાથી કદી વાળી શાય તેમ જ નથી, છતાં ભક્તિના પ્રતીકરૂપે, હે સદૈવ પરમહિતચિંતક પરમકૃપાળુ પરમવત્સલ મોક્ષમાર્ગીના દાતા જ્ઞાની ગુરુદેવ ! આપશ્રીની જ પ્રેરણા, સૂચના તથા માનથી તૈયાર થયેલા આ લઘુ પુસ્તકરુપી પુષ્પને અનંતશઃ વંદનાપૂર્વક આપના પવિત્ર કરકમલમાં અણુ કરીને આજે પરમ આનંદ અનુભવુ છું. Jain Education International આપક્ષીના ચરણકમળનો ઉપાસક અંતેવાસી શિશુ. For Private & Personal Use Only 4 જંબુ’ www.jainelibrary.org
SR No.005202
Book TitleJain Shwetambar Tirth Antriksha Parshwanath
Original Sutra AuthorN/A
AuthorAntriksha Parshwanath Sansthan Shirpur
PublisherAntriksha Parshwanath Sansthan
Publication Year1972
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy