SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વે લંકાનગરીના રાજા પ્રતિવાસુદેવ રાવણે માલિ અને સુમાલિ નામના પિતાના સેવકને કઈક કારણસર કેઈક સ્થળે મોકલ્યા હતા. વિમાનમાં બેસીને આકાશમાગે જતાં તેમને વચમાં જ ભેજનને અવસર થયો. વિમાનમાં બેઠેલા કૂલમાળી નોકરને ચિંતા થઈ કેઆજે ઉતાવળમાં હું જિનપ્રતિમાના કરંડિયાને ઘેર જ ભૂલી ગયો છું. અને આ બંને પુણ્યવાન જિનપૂજા કર્યા સિવાય કયાંયે પણ ભોજન કરતા નથી ત્યારે તેઓ પૂજાના અવસરે પ્રતિમાનો કરંડિયો નહીં જુએ ત્યારે નક્કી મારા ઉપર કોપાયમાન થશે.” આ ચિંતાથી તેણે વિદ્યાબળથી પવિત્ર વાલુકા ( વાળ-રેતી ) ની ભાવી જિનેશ્વર શ્રી પાર્શ્વનાથ ભગવાનની એક નવી પ્રતિમા બનાવી. માલિ અને સુમાલિએ પણ તે પ્રતિમાની પૂજા કરીને ભોજન કર્યું. પછી જયારે તેઓ ફરીથી આકાશમાર્ગે ચાલવા લાગ્યા તે વખતે કૂલમાલી ન કરે તે પ્રતિમાને નજીકમાં રહેલા કોઈ સરોવરમાં પધરાવી પ્રતિમા દેવીપ્રભાવતી સરોવરમાં અખંડિત જ રહી. કાલક્રમે તે સરે વરનું પાણી ઘટી ગયું અને તે નાના ખાબોચિયા જેવું દેખાતું હતું. આ બાજુ કાલાંતરે વિગઉલ્લી ( વિગેલી-હિંગેલી ) દેશમાં વિગલ નામનું નગર છે. ત્યાં શ્રીપાલ નામનો રાજ રાજય કરતો હતો. આ રાજા સવગે કેટના વ્યાધિથી પીડાતો હતો. એક વખત શિકાર માટે તે બહાર ગયે હતો, ત્યાં તરસ લાગવાથી શ્રી અંતરિક્ષજીની પ્રતિમાવાળા તે ખાબોચિયા પાસે અનુક્રમે આવી પહોંચ્યા. ત્યાં પાણી પીધું અને હાથ મેં ધોયા, તેથી રાજાના હાથમાં નીરોગી અને કનક જેવી કાંતિવાળા થઈ ગયા. ત્યાથી રાજા ઘેર ગયા. પછી જતાં આશ્ચર્ય પામવાથી રાણીએ પૂછ્યું કે–સ્વામી ! તમે આજે કાઈ સ્થળે સ્નાન વગેરે કર્યું છે? રાજાએ સર્વ હકીકત કહી સંભળાવી. રાણીએ વિચાર કર્યો કે “નકકી પાણીમાં જ કોઈ દેવી પરભાવ હોવો જોઈએ.” આંથી બીજે દિવસે રાજાને ત્યાં લઈ જઈને રાણીએ સર્વ અ ગે સ્નાન કરાવ્યું. તેથી રાજાનું શરીર નીરોગી અને નવું-સુંદર કાંતિવાળુ થઈ ગયું. પછી રાણીએ બલિપૂજા વગેરે કરીને પ્રાર્થના કરી કે “અહીં જે કઈ દેવ હોય તે પ્રગટ થાઓ” ત્યાંથી પાણી ઘેર આવ્યા પછી દેવે સ્વપ્નમાં રાણીને કહ્યું કે “અહીં ભાવી તીર્થકર શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાં છે, અને તેને પ્રભાવથી જ રાજાનું શરીર નીરોગી થયું છે. આ પ્રતિમાને ગાડામાં મૂકીને અને ગાડાને સાત દિવસના જમેલા વાછરડા જોડીને રાજાએ પિતે સારથી બનીને તેમાં બેસવું, અને પછી કાચા સુતરની બનાવેલી દોરીથી (લગામથી ) વાછરડાઓને પોતાના નગર તરફ રાજાએ ચલાવવા. (પણ પાછું વાળીને જવું નહીં કેમકે) રાજા જયાં પાછું વાળીને જેશે ત્યાં જ રતિમા સ્થિર થઈ જશે.” બીજે દિવસે રાજાએ ત્યાં જઈને ખાબોચિયામાંથી પ્રતિમા શોધી કાઢી અને દેવે કહ્યા પ્રમાણે ગાડામાં સ્થાપીને પોતાના સ્થાન તરફ ચાલવા લાગ્યો. કેટલેક દર ગયા પછી તેના મનમાં શંકા આવી કે- પ્રતિમા આવે છે કે નહીં ? Jain Education International For Private & Personal Use Only www.jain library.org
SR No.005202
Book TitleJain Shwetambar Tirth Antriksha Parshwanath
Original Sutra AuthorN/A
AuthorAntriksha Parshwanath Sansthan Shirpur
PublisherAntriksha Parshwanath Sansthan
Publication Year1972
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy