SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવના મહારાષ્ટ્ર વિદર્ભ પ્રાંતમાં શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથનું મહાન પ્રભાવિક પ્રાચીન તીર્થ છે. પ્રભુની મૂર્તિ જમીનથી અધર હોવાને લીધે આ કલિકાલમાં પણ એનું અપૂર્વ પ્રભાવિકપણું પ્રતીત થાય છે. એ તીર્થ બાબત આપણાં દિગંબરી જૈન ભાઇઓ સાથે તીર્થના વહીવટ અને માલીકી બાબત કાર્યોમાં ઘણા દિવસ લડત ચાલી હતી અને આખરે એ તીર્થને વહીવટ નિરપવોઇપણે શ્વેતાંબરને સિદ્ધ થયો હતો. એ તીર્થની ઉત્પત્તિ અને અન્ય શાસ્ત્રીય પુરાવાઓ કેસમાં દાખલ કરવામાં આવ્યા હતા. એ પુરાવાઓ અને ગ્રંથોના આધારે એક પુસ્તિકા તૈયાર કરવાની અગત્ય ઘણા દિવસથી ભાસતી હતી. સાક્ષરસિરોમણિ જૈન તત્ત્વજ્ઞાન પારંગત અનેક ભાષાવિદ પરમપુજ્ય મુનિશ્રી જેબવિજ્યજી મહારાજસાહેબે એ કાયર ઉપાડી લીધું અને ઊંડો અભ્યાસ તેમજ સંશોધન કરી, દરેક સ્થળની પૂર્ણ માહિતી મેળવી પ્રબંધ તૈયાર કર્યો. અને તે શ્રી આત્માનંદ પ્રકાશ નામક ભાવનગરથી નીકળતા માસિકમાં પ્રકાશિત કર્યો. તેને પણ લગભગ દસ વર્ષો પૂરા થઇ ગયા શ્રી તીર્થ કમિટીને એ પુસ્તકાકારે પ્રગટ કરવાની અગત્ય જણાઈ. આ કાર્ય આ તીર્થનો ઝગડો ચાલતો હતો તે વખતે પુરાવાઓ વિગેરે ભેગા કરવામાં તેમજ વકીલો સાથે ચર્ચા વિગેરે કરવમાં ભોગ આપેલો તેવા સ્વ. સાહિત્યચંદ્ર શ્રી બાલચંદ હીરાચંદ માલેગામ.લાને સોપવામાં આવ્યું. તેમણે સાહિત્ય ભેગું કરી આ પુસ્તક પ્રસિદ્ધ કરવા ગ્ય બનાવી આપ્યું. તેથી જ આ પુસ્તક પ્રગટ કરવા અમે ભાગ્યશાલી થયા છીએ. તેથી પ્રથમ આવૃત્તિ છપાઈ જે લોકોને અતિશય ગમી. તે આવૃત્તિ પુરી થવા આવવાથી અને તેની માંગ ચાલુ જ હોવાથી આ પડીની બીજી આવૃત્તિ છપાવવાનું કમેટીએ નકી કર્યું અને આ પુસ્તકમાં તીર્થ અંગેની બધી જ હકીકત તથા અત્યારલગીને કડીબદ્ધ ઇતિહાસ, આવી જાય એવી વ્યવસ્થા કરવામાં આવી જે જનતાના આદરને પાત્ર થઈ છે, એવી અમારી ખાત્રી છે. હવે આ ત્રિજી આવૃત્તિ અને પ્રગટ કરવા ભાગ્યશાલી બની રહ્યા છિએ. પરમપૂજય મુનિ જંબવિજય મહારાજે આ પુસ્તક લખવામાં પોતાની વિદ્વત્તા અને સંશોધનકાર્ય કરી આપ્યું છે, તે માટે તેમનો જેટલો ઉપકાર માનીએ તેટલો છે જ છે. તેમજ આ પુસ્તકને આ સ્વરૂપ આપવામાં સાહિત્યચંદ્ર બાલચંદભાઈએ જે મદદ કરી છે તે માટે તેમનો આભાર માનવામાં આવે છે તેમજ આ કાર્યમાં રસીધી કે આડકતરી રીતે જેઓએ મદદ આપેલી તેમનું પણ સાભાર સ્મરણ કરીએ છીએ. આ પુસ્તકની રિમજી આવૃત્તિને સુંદર રીતે છાપી આપવામાં શ્રી સાધના પ્રેસ ભાવનગરના કાર્યવાહકે અમારા આ પ્રકાશન કાર્ય માં અપૂર્વ મદત આપી છે તે કેમ ભૂલી શકાય ? સંવત ૨૦૨૦ માનદ મંત્રી (૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005202
Book TitleJain Shwetambar Tirth Antriksha Parshwanath
Original Sutra AuthorN/A
AuthorAntriksha Parshwanath Sansthan Shirpur
PublisherAntriksha Parshwanath Sansthan
Publication Year1972
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy