________________
ભારત દેશના સર્વ ભાગમાંથી સેંકડો વર્ષોથી શ્રી અંતરિક્ષજી તીર્થમાં જુદા જુદા ગામથી, શ્રી જૈન શ્વેતાંબર સંઘ, આચાર્યો, પંડિત મુનિ મહારાજાઓ સંધ સમુદાય સાથે શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથની યાત્રા માટે અખંડિતપણે આવતા રહ્યા છે, તેમાંથી અનેક સંઘોએ તીર્થમાં સારી એવી રકમો અને
ઘરેણાઓ આ તીર્થના તીર્થપતીના ચરણે ભેટ તરીકે આપેલાં છે. તેની અને આ તીર્થના વહિવાટના ચેપડાઓ વખતોવખત તપાસીને તે ઉપર પોતાના હસ્તાક્ષર કરેલા છે.
== તેની
=
સંક્ષિપ્ત નેંધ
સંવત ૧૮૪૫ સાલથી આજ દિવસ સુધી અનેક સંઘે અત્રે આવ્યા છે. અને એ જ પ્રમાણમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ પણ વારંવાર અત્રે આવીને આ પાવન તીર્થનું દર્શન પુજન તેઓએ કરેલું છે, તે સર્વેની નોંધ સંસ્થાનના દફતરમાં આવેલી છે, તેમાંથી અનેકોએ સેવા દ્રવ્ય પણ અર્પણ કરેલું છે. ભગવાનને અનેક અલંકાર ભેટ તરીકે આપેલા છે.
આ ઠેકાણે એક વાત વિશેષ રીતે લક્ષમાં લેવા જેવી છે કે દીગબરી દેવસ્થાનમાં કોઈ પણ ઠેકાણે ભગવાનને અલંકારો ચઢાવવાની પ્રથા નથી, અગે તો કેટલાક અલંકારે ભગવાનને ભેટ તરીકે આવ્યા છે. તે સર્વ શું સુવે છે ?
તે સિવાય પુજાના અનેક ઉપકરણે પણ વખતોવખત ભેટ મળેલા છે. સંસ્થાનના હિસાબ તપાસવામાં આવેલા છે અને જમા-ખરચ ઉપર તેવા શેરાઓ લખી મુકવામાં આવેલા છે.
Jain Education International
For Private & Personal Use Only
w
w.jainelibrary.org