SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ વડોદરાવાસી ૫. શ્રી લાલચંદભાઈ ભગ– વાનદાસ ગાંધીને પણ અમારે ખાસ જ ધન્યવાદ આપવો જોઈએ, કેમકે ભાવવિજયગણિ-વિરચિત શ્રીજગન્તરિક્ષારર્વનાથમાભ્યિ કે જે અંતરિક્ષછના ઇતિહાસમાં ઘણું મહત્ત્વનું સ્થાન ધરાવે છે, તે છપાઈ ગયું હોવા છતાં, ઘણે ઘણો પ્રયત્ન કરતાં પણ કોઈ સ્થળેથી પ્રાપ્ત થઈ શકયું નહોતું તે તેમની પાસેથી મળ્યું હતું. અને જયારે જ્યારે દાર્શનિક અધ્યયન અને સંશોધનમાં અમને કોઈ પણ પુસ્તકની જરૂર પડે ત્યારે ત્યારે અલભ્ય અને કિંમતી પુસ્તકે પણ વડોદરાની રાજકીય લાયબ્રેરીમાંથી વિના સંકોચે તેમણે પૂરાં પાડ્યાં છે આ તેમનું સૌજન્ય જ છે. આ તીર્થ ઉપર પૂર્ણ ભક્તિથી યથાશકિત યથામતિ શૈધ કરીને આ તીર્થનો ઈતિહાસ આલેખવા પ્રયત્ન કર્યો છે, છતાં તેમાં જે અપૂર્ણતા રહી ગઈ હોય તેને વિદ્વાન સંશોધકે પૂર્ણ કરવા પ્રયત્ન કરશે એવી આશા રાખીએ છીએ. અંતે દેવાધિદેવ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથભગવાનને ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના શબ્દોમાં જ વિજ્ઞપ્તિ કરીને સમાપ્ત કરીએ છીએ – दूर करो दादा पासजी भवदुःखका फंदा वाचकयश कहे दासकुं दीजे परमानंदा । मेरे साहिब तुम ही हो प्रभु पार्वजिनंदा ।। Jain Education International For Private & Personal Use Only www. j elibrary.t
SR No.005202
Book TitleJain Shwetambar Tirth Antriksha Parshwanath
Original Sutra AuthorN/A
AuthorAntriksha Parshwanath Sansthan Shirpur
PublisherAntriksha Parshwanath Sansthan
Publication Year1972
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy