SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સ્થૂળભદ્ર [ શ્રી તપાગચ્છ મુખદર્શનને લાભ લેવા દૂર દેશાવરથી પથિકે આવતા. પ્રાચીન સમયમાં ડહાપણને ઈજારો વેશ્યાઓને જ ફળે મનાતે નૃત્ય કે સંગીતમાં તેની હરિફાઈ કરવાને કઈ ઉઘુક્ત બનતું નહિ. તેની નજર માત્રથી ભલભલા મુનિઓના માનભંગ થતાં. ભલભલા રાજકુમાર અને કોટડ્યાધિપતિઓના પુત્રે તેને ત્યાં શિક્ષણ અને ડહાપણુ મેળવવા આવતા. તેની એવી છાપ હતી કે ત્યાં શિક્ષણ લીધા વિનાને મનુષ્ય વ્યવહારકુશળ ગણાતે નહિ. તે નાચમાં તે એવી પ્રવીણ ગણાતી કે તેને નાચ જોયા પછી પણ માણસેને પિતાની બુદ્ધિ પર વિશ્વાસ આવતાં વખત લાગે. વેશ્યાની કુશળતા સાથે તેનું રૂપ પણ સુંદર હતું. તે જ્યારે કબરી (અડે) છૂટે મૂકતી ત્યારે તેના વાળ સર્પરાજનું ભાન કરાવતા. તેના હાથ કમળના ડેડા સમાન હતા. તેના નેત્ર આગળ હરિણે ઝંખવાણુ પડતા. શકાલે પણ પિતાના જયેષ્ઠ પુત્ર સ્થળભદ્રને ત્યાં મોકલ્યા. કેશા વેશ્યા ગોખમાંથી જુએ છે. તે અઢાર વર્ષને કલેય કુંવર પોતાના મહેલ તરફ આવી રહ્યો છે. તેને ચહેરો અને રૂઆબ તેના હૃદયની આરપાર નીકળી ગયા. પાસે બેઠેલ દાસીને સ્થૂળભદ્રને તેડી લાવવા આજ્ઞા કરી. દાસીએ આવી વિનંતિ કરી પણ સ્થલભદ્રે કહ્યું કે તારી બાઈ જાતેતેડવા આવે તો હું આવું.' તેની પ્રતિભા જોઈ કેશા આવી અને માન સહિત તેડી ગઈ. સ્થલભદ્ર કળા શીખવા માટે આવેલ હતા. પિતાએ તેને માટે જોઈએ તેટલા દ્રવ્યની સગવડ કરી હતી. ધીમેધીમે કળા શીખતાં તે કશાના પ્રેમમાં પડ્યા. ખીરનું ભેજન મળ્યા પછી કદ્રવાનું ભેજન કેણ કરે ? કેશાએ પણ બીજા સાથે પ્રેમ કરવો છેડી દીધે. સ્થૂળભદ્ર તેમજ કેશાને જળ-મસ્ય જેવી પ્રીત બંધાણું. સ્થળભદ્ર કેશાને જ જુએ ને કેશા સ્થળભદ્રને જ દેખે. કેશાનું ભુવન એટલે ભેગવિલાસને દરિયે. તેમાં જે ડૂબે તે બહાર નીકળે જ નહિ. દિવસ ઉપર દિવસે વીતતાં ગયાં. છૂળભદ્રને કેશ-ગૃહે આવ્યાને બાર વર્ષ વીતી ગયા. X ૪ હવે તે જ પાટલીપુત્ર નગરમાં વરસચિ નામને વિપ્ર રહેતો હતો પણ તે મિથ્યાદષ્ટિ હતો. તે કવિ હવા સાથે વાદી અને વયાકરણ પણ ગણાતો. તે હંમેશાં નંદરાજાના દરબારમાં આવીને એક સે આઠ નૂતન ગ્લૅક રચીને રાજાના મનનું રંજન કરવા લાગે, પરંતુ શકતાલ મંત્રી તે મિથ્યાષ્ટિ હોવાથી તેની પ્રશંસા કરતે નહિ, એટલે રાજા તુષ્ટમાન થઈને તેને દાન પણ આપતો નહિ. આથી વરરુચિ શકડાલ મંત્રીની ભાર્યા પાસે ગયો અને તેને વિજ્ઞપ્તિ કરી કે મંત્રી પોતાની પ્રશંસા કરે તે મને આજીવિકા મળે. મંત્રી. પત્નીએ શાકડાળને તે બ્રાહ્મણની પ્રશંસા કરવા આગ્રહ કર્યો. અંધ, બાળક, સ્ત્રી અને મૂખને આગ્રહ દૂરતિક્રમ્ય હોય છે. બીજે દિવસે શુકડોળે પ્રશંસા કરી તેથી રાજાએ પ્રસન્ન થઈને તેને એક સો આઠ દીનાર ઈનામ તરીકે અપાવ્યા. આ પ્રમાણે હમેશાં બનવા લાગ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005201
Book TitleTapagaccha Pattavali
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherVijaynitisurishwarji Jain Library
Publication Year1940
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy