SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પટ્ટાવલી ] ૨૯. શ્રી ભષાહુસ્વામી તે પણ જ્યાતિષવિદ્યાનું ઠીક જ્ઞાન ધરાવતા, તેથી તે વડે જ પેાતાના નિર્વાહ ચલાવવા લાગ્યું. જેમ જેમ તેની પ્રતિષ્ઠા વધતી ગઇ તેમ તેમ તે જૈન સાધુઓ પ્રત્યે વધુ દ્વેષી ખનતા ગયા. અને નિર ંતર જૈન શ્રમણાની નિદા કરવા લાગ્યા. વરાહમિહિરે પેાતાના પ્રભાવ ફેલાવવા અનેક ફૂટ પ્રયત્નો કર્યા. વરાહમિહિરની વાત જનતાએ સાચી માની અને તેની પ્રતિષ્ઠા વધતી ગઇ. છેવટે તેને નંદરાજાની સભામાં પુરેાહિતનુ માનવંતુ સ્થાન મળ્યું અને સાથે જ જૈનધર્મ પરની ઇર્ષ્યા પણ વધી. નદરાજાને ત્યાં લાંબે સમયે એક પુત્ર જન્મ્યા. વરાહમિહિરે આ પુત્રની જન્મ પત્રિકા બનાવી અને પુત્રનું સેા વનું આયુષ્ય જણાવ્યું. રાજા ઘણુંા હષત થયા. વૃદ્ધાવસ્થાએ પુત્રજન્મ અને દીર્ઘ આયુષ્ય, આથી લેાકેા પણ ભાત-ભાતની ભેટ-સોગાદો લઈ ખુશાલી પ્રદશિત કરવા આવવા લાગ્યા. વરાહમિહિરને પેાતાના વેરના બદલા લેવાને અવસર મળી ગયા. તેણે રાજાના કાન ભંભેર્યાં કે- મહારાજ ! આપના કુંવરના જન્મથી બધા રાજી થયા ને આપની પાસે આવી ગયા, પણ પેલા જૈનષાધુ ભદ્રબાહુ નથી આવ્યા તેનું કારણ તેા જાણા.’ રાજાએ શકડાળ મત્રીને વાત કરી. શકડાળે ગુરુમહારાજને વાત કરી. વિચક્ષણ ગુરુજી બધી વસ્તુ પામી ગયા. રાજાના કાન ભ ંભેરાયાની ગંધ પણ આવી ગઇ. તેમણે શાંત ચિત્તે કહેવરાવ્યું કે ‘નકામું' એ વાર શામાટે આવવું જવું પડે? એ પુત્ર સાતમે દિવસે ખિલાડીના મુખથી મૃત્યુ પામશે ત્યારે દિલાસા દેવા આવીશ.’ મંત્રીએ જઇને રાજાને વાત કરી. રાજા આ સદેશે! સાંભળી ચેાંકી ઊઠયો. વરાહમિહિર અને ભાડુના જુદા જુદા કથનથી તે ચિંતાતુર બન્યા. ભદ્રમાહુના વચનને મિથ્યા બનાવવા માટે તેણે સખ્ત ચાકી પહેરા મૂકી દીધા અને આખા શહેરમાંથી ખિલાડીઓને હાંકી કઢાવી. એક તે લાંબે વખતે પુત્ર સાંપડયે અને તેમાંય વળી રાજબીજ. તેના રક્ષણ માટે શી કમીના રખાય ? પણ વિધાતાના લેખ કે કર્મની ક્રિયાએ કાઇથી ભુસાઇ છે? ખરાખર સાતમે દિવસે ધાવમાતા બારણામાં બેઠીબેડી પુત્રને ધવરાવતી હતી ત્યાં જ મારણાના આગળીયા પુત્રના શિર પર પડ્યો ને તરત જ પુત્ર મરણ પામ્યા. ભદ્રબાહુસ્વામી રાજાના શેક નિવારવા રાજમહેલમાં ગયા. રાજાને શાંતિ આપી ધીરજ પમાડી. સ'સારની ચિત્રવિચિત્ર ઘટના કહી આશ્વાસન આપ્યું. રાજાને ઉત્તમ ઉપદેશથી કઈક શાંતિ મળી. રાજાએ કહ્યુ` કે–‘ તમારા ભવિષ્ય કથન મુજબ પુત્ર મરણ પામ્યા ખરા પણ બિલાડીના મેાઢાથી મરણ પામશે એમ જડ્યુાવ્યુ હતુ તે સત્ય ન થયું. ' સૂરિજીએ આગળીયા મંગાવી બતાવ્યું તેા તેના પર ખિલાડીનું માઢું કાતરાવેલ હતું. આ પ્રમાણે ઘટના બનવાથી વરાહમિહિર તેા ઝંખવાણેા પડી ગયા. તેની અધી શેખી ઊડી ગઇ. ગરુડની ગતિ આગળ ચકલી શું કરી શકે ? તેને જ્યાતિષ ગ્રંથે બધા પુસ્તકા પાણીમાં ભેળી દેવા તે તૈયાર પે પર ઘૃણા ઉપજી, યાતિષના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005201
Book TitleTapagaccha Pattavali
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherVijaynitisurishwarji Jain Library
Publication Year1940
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy