SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શયંભવસૂરિ [ શ્રી તપાગચ્છ હું તેમની પાસે દીક્ષા લઉં.” શય્યભવસૂરિએ તેને પોતાને જ પુત્ર જાણી કહ્યું–“વત્સ ! તારા પિતાને હું જાણું છું. તે મારા મિત્ર છે. તે અને હું શરીરથી અભિન્ન છીએ માટે તું મારી સાથે ચાલ, પિતા અને કાકામાં શે ભેદ રાખ?” ઉપાશ્રયે આવી તેને દીક્ષા આપી. એકદા મનકના આયુષ માટે ઉપયોગ આપતાં છ મહિનાનું ટૂંકું જ આયુષ જણાયું. આથી શય્યભવસૂરિ વિચાર કરવા લાગ્યા કે આ બાળકને મૃતધર શી રીતે બનાવી શકાય? દશપૂર્વી અથવા ચૌદપૂર્વી કેઈ કારણસર શ્રુતના સારને ઉધ્ધાર કરી શકે છે એમ પૂર્વ મહાપુરુષે કહી ગયા છે એમ વિચારીને તેમણે સિધ્ધાંતમાંથી સાર ઉધરીને દશવૈકાલિક નામનું શ્રુતસ્કંધ રચ્યું. વિકાળ વેળાએ ભણી શકાય તેમજ દશ અધ્યયનવાળું હોવાથી તેનું દશવૈકાલિક એવું નામ ઉચિત જ હતું. તેના દશ અધ્યયને નીચે પ્રમાણે છે૧. દ્રુમપુમ્પિક-તેમાં ધર્મની પ્રશંસા-સ્તુતિ છે. દ્રુમના પુષ્પમાંથી ભ્રમર રસ ચૂંટી લે છે છતાં પુષ્પને ઈજા થતી નથી તેવી રીતે શ્રમણ-સાધુ વતે. ૨. શ્રમણ્યપૂર્વિક-ધર્મ તરફ રુચિ છતાં અભિનવ પ્રવ્રુજિતને અતિથી સંમેહ ન થાય માટે ધૈર્ય રાખવું તે સંબંધેનો આમાં અધિકાર છે. ૩. યુલ્લિકાચાર કથા-ધતિ આચારમાં જોઈએ તેથી આચારકથા શુલ્લિકા-નાની નાની આ અધ્યયનમાં કહેવામાં આવી છે. ૪. પછવનિકા-ઉક્ત આચાર છ છવ કાયગોચર હવે જોઈએ તે સંબંધીના વર્ણન વિષે આ અધ્યયન છે. ૫. પિંડેષણ-દેહ સ્વસ્થ હોય તો ધર્મ પાળી શકાય અને આહાર વિના દેહ સ્વસ્થ રહેતો નથી માટે સાવદ્ય અને નિરવદ્ય એ બે પ્રકારમાંથી નિરવદ્ય આહાર ગ્રાહ્યા છે એમ વિવેચનપૂર્વક બતાવ્યું છે. આમાં બે ઉદ્દેશક છે. ૬. મહાચારકથા-(ધર્મ, અર્થ, કામાધ્યયન)–ગોચરી જતાં મહાજન સમક્ષ સ્વા ચાર નથી કહી શકાતો પણ આલયમાં ગુરુ કહે છે તેથી મહાજનને યોગ્ય એવી નાની નહિ પણ મોટી આચારકથા વર્ણવવામાં આવી છે. ૭. વચનવિશુદ્ધિ-તે કથા આલયમાં હોવા છતાં ગુરુમહારાજે નિરવવ વચનથી કહેવી ઘટે. ૮. આચારપ્રણિધિ-નિરવ વચન આચારમાં પ્રણિહિતને માટે થાય છે. ૯. વિનય–આચારમાં પ્રણિહિત-દત્તચિત હોય તે યથાગ્ય વિનયસંપન્ન થાય છે. આમાં ચાર ઉદ્દેશક છે. ૧૦ સભિક્ષુ-ઉપરના નવે અધ્યયનના અર્થમાં જે વ્યવસ્થિત થાય છે તે સમ્યગૂ ભિક્ષુ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005201
Book TitleTapagaccha Pattavali
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherVijaynitisurishwarji Jain Library
Publication Year1940
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy