SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૦ : તપાગચ્છ અને ખરતરગચ્છમાંથી તેની શાખારૂપે પણુ કૈટલાક નવીન મત-ગચ્છા ઉદ્ભવ્યા છે. વિધિપક્ષ ગચ્છ અને અચળગચ્છ નાણુકીય ગચ્છમાંથી નીકળ્યા હૈાવાનુ મનાય છે; જ્યારે વડગચ્છમાંથી તપગચ્છ અને તે તપગચ્છમાંથી પણ તેર શાખા ઉદ્ભવી છે. કથા ગચ્છા કયા સમયે અને કાનાથી પ્રચલિત થયા તેની ટૂંકી રૂપરેખા અત્રે દર્શાવવી અસ્થાને તે નહીં જ ગણાય. નિગ્રન્થ ગચ્છ-પ્રભુ શ્રી મહાવીરના પંચમ ગણધર શ્રી સુધર્માંસ્વામીથી પ્રત્યેાઁ. આ ગચ્છ આઠમા પટ્ટધર શ્રી આ મહાગિરિ અને આર્ય સુહસ્તિસૂરિ સુધી ચાલ્યે. કોટિક ગચ્છ નવમા પટ્ટધર શ્રી સુસ્થિતસૂરિ અને શ્રી સુપ્રતિષદ્ધસૂરિએ કાક'દી નગરીમાં સૂમિત્રના કેટિવાર જાપ કરવાથી નિ"થ ગચ્છનું નામ કાટિક સ્થાપન થયુ અને તે ચૌદમા પટ્ટધર શ્રી વસેનસ્વામી પન્ત ચાલુ રહ્યો. વનવાસી ગચ્છ—શ્રી મહાવીર દેવની સેાળમી પાટે થયેલ શ્રી સામંતભદ્રસૂરિ સ્વગચ્છીય સાધુઓની સાથે વનમાં વાસ કરતા હતા તેથી કેાટિક ગચ્છનુ' વનવાસી ગચ્છ એવુ' નામ પડયું'. ઉદ્યોતનસૂરિના સમયમાં તેનુ વડગચ્છ’એવુ નામ પડયુ અને ખાદ તેજ ગચ્છતુ જગચ્ચદ્રસૂરિના સમયમાં “તપાગચ્છ” એવુ નામ પ્રચલિત થયુ. ઉપકેશ ગચ્છ—પ્રભુ શ્રી પાર્શ્વનાથના શાસનની પરંપરા ચાલુ જ હતી. તેમની છઠ્ઠી પાટે થયેલા રત્નપ્રભસૂરિએ ઉપકેશપટ્ટનમાં શ્રી મહાવીરસ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. આ ઉપરાન્ત એશિયા નગરીના રાજા તેમજ ક્ષત્રિયાને પ્રતિ એધી આશવંશની સ્થાપના કરી, તેઓને એસવાળ બનાવ્યા. શ્રીમાલી વંશની પણુ તેમણે જ સ્થાપના કરી. ઉપક્રેશ વંશની સ્થાપના કરવાથી તેમના ગચ્છનું નામ પણ ઉપકેશ ગચ્છ પ્રચલિત થયું. આ ગચ્છમાં ધમ ધુરંધર ઘણા આચાર્યાં થયા છે. વજ્રશાખા (વયરીશાખા) ગચ્છ—શ્રીવાસ્વામીથી આ શાખાની શરૂઆત થઇ. એમના સમયમાં ભયંકર દ્વાદશવર્ષીય દુકાળ પડ્યો ત્યારે તેમણે વિદ્યાના ખળે સધનું રક્ષણ કર્યું" હતું. નાગિલ ગચ્છ—નાગિલ નામના આચાયથી આ ગચ્છ પ્રગટ્યો. આ ગચ્છમાં શ્રી વિજયસૂરિના શિષ્ય વિમળસૂરિ થયા કે જેમણે પ્રાકૃત ભાષામાં પમરચ (જૈન રામચરિત્ર) નામના અદ્ભુત ગ્રંથનું સર્જન કર્યુ છે. વિક્રમ સં. ૫૯ (મ. નિ. સ. પર૯) માં આ ગ્રંથની રચના કરવામાં આવી હતી. ષડિલ્લશાખા ગચ્છ—આ શાખા કેાનાથી પ્રચલિત થઈ તે નિર્ણીત નથી થતુ. પરંતુ આ શાખામાં ઘણા પ્રભાવિક આચાર્ચી થયા છે. ચંદ્રગચ્છની ષડિલ્લ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005201
Book TitleTapagaccha Pattavali
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherVijaynitisurishwarji Jain Library
Publication Year1940
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy