SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મઢીપિકાની ઉત્પત્તિ [ શ્રી તપાગચ્છ નિર્દેશ કરી તેને સબળપણે સામનો કર્યો. ત્યવાસને કારણે શિથિલાચારીઓ ચૈત્ય કે મઠમાં રહેતાં, મંદિરના દ્રવ્યનો પિતાની જાત માટે ઉપયોગ કરતા, નિમિત્તો જોઈ આપતાં, રંગેલા કે સુવાસિત વસ્ત્રો પહેરતાં, સાધ્વીઓએ વહોરેલું ખાતા, ધનનો સંચય કરતા, કેશ વધારતા, મિષ્ટાહાર કરતા, સચિત્ત પાણી તથા ફળ-ફૂલ વાપરતા, જિનપ્રતિમા વેચતા ઈત્યાદિ શાસનની હીલના થાય અગર તો સાવાચારથી વિપરીત હોય તેવી રીતે વર્તતા. બ્રહ્મદીપિકા શાખાની ઉત્પત્તિ આર્યસમિતસૂરિ (વાસ્વામીના મામા) વિહાર કરતાં કરતાં આભીર દેશમાં આવ્યા. ત્યાં અચળપુરની નજીક કૃષ્ણ ને પૂર્ણ નામની બે નદીઓ હતી. તે બેની વચ્ચે એક સુંદર બ્રહ્મ નામને બેટ હતો. દેવશર્મા નામને તપસ્વી અને તેને ૪૯૯ શિષ્યો તે બેટ પર રહી બ્રહ્મજ્ઞાન મેળવવા મથતા હતા. તે પૈકીને એક તપસ્વી સ્વમહિમા વધારવા પગે ઔષધીનો લેપ કરી જળથી છલોછલ ભરેલી નદીના પાણુ પરથી ચાલી અચળપુરમાં આવતું. આ જોઈ લોકો તેની પ્રશંસા કરવા સાથે ભેજનાદિ માટે નિમંત્રવા લાગ્યા. જૈન શાસનમાં આવા કોઈ ચમત્કારી પુરુષ હશે કે કેમ ? તે વાત ચર્ચાતી હતી તેવામાં આસમિતસૂરિ ત્યાં આવી ચડ્યા. ક૯૫નાથી તપસ્વીનું ચેષ્ટિત જાણે પિતાના ભક્ત શ્રાવક પાસે તે તપસ્વીને જમવા માટે આમંત્રણ અપાયું. જમવાના અવસરે ઊના પાણીથી તે તપસ્વીના બંને પગ બરાબર ધવરાવવામાં આવ્યા એટલે લેપ નાબૂદ થયે. જમીને નદીતટે આવતાં તપસ્વી મુંઝા, છતાં આબરુ બચાવવા તેણે જળ પર ચાલવા માંડયું. જરા આઘે જતાં તે બૂડ મૂડ થવા લાગ્યો એટલે ગુરુએ મંત્રવાસિત વાસક્ષેપ નદીમાં નાખી, માગ કરી આપી, તેને ડૂબતો બચાવી લીધો. આ પ્રસંગથી તે તપસ્વી વિલખ થઈ ગયો અને આર્યસમિતની શક્તિ માટે વિસ્મય ફેલાયું. પછી ગુરુએ બ્રહ્મઠીપમાં જઈ, ૫૦૦ તાપસને પ્રતિબંધ પમાડી જૈનધર્માનુરાગી બનાવ્યા. તેઓ બ્રહ્મ દ્વીપમાં રહેનારા હેવાથી તેમનાથી “બ્રહ્મક્રીપિકા' નામની શાખા નીકળી. चउवासो सिरिविक्कम २४, नरसिंहो पंचवीस २५ छव्वीसो। सूरिसमुद्द २६ सत्ता-वीसो सिरिमाणदेवगुरू २७ ।। ९॥ २४ तत्प? श्रीविक्रमसूरिः । २५ तत्पट्टे श्रीनरसिंहमूरिः। २६ तत्पट्टे श्रीसमुद्रसूरिः। २७ तत्पट्टे श्रीमानदेवसूरिः। ગાથા –ચોવીશમા શ્રીવિકમસૂરિ, પચીશમાં શ્રી નરસિંહસૂરિ, છરીશમા શ્રીસમુદ્રસૂરિ અને સત્તાવીશમા પટ્ટધર શ્રીમાનદેવસૂરિ (બીજા) થયા. ૯ व्याख्या-२४ चउवीसोत्ति-श्रीदेवानंदमूरिपट्टे चतुर्विशतितमः श्रीविक्रमसूरिः। २५ नरसिंहोत्ति-श्रीविक्रममूरिपट्टे पंचविंशतितमः श्रीनरसिंहमूरिः । यतः *આર્યસમિતસૂરિને સમય વિચારતાં આ શાખાની ઉત્પત્તિ વિ. નિ. સં. ૧૫થી ૬૧૦ લગભગમાં થવા સંભવ છે છતાં અહીં વી. નિ. સં. ૮૮૬ આપવામાં આવે છે તે મતાંતર જાણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005201
Book TitleTapagaccha Pattavali
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherVijaynitisurishwarji Jain Library
Publication Year1940
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy