________________
ભારતનાં મુખ્ય જૈન તીર્થો
૭૬ પહેલી પ્રદક્ષિણામાં સહસ્ત્રકૂટથી આગળ ચાલતાં દાદાના દહેરાસરને ફરતી પ્રદક્ષિણા દેવાની હોય છે, પ્રદક્ષિણામાં આગળ વધતાં રાયણ પગલાંની દેરી આવે છે તથા બીજાં પગલાંઓનાં પણ દર્શન થાય છે.
" રાયણ-૫ગલાંની દેરી તથા રાયણવત
રાયણ પગલાં તથા રાયણવૃક્ષ મહાપ્રભાવિક તથા પૂજનીય છે. આ સ્થાન ખૂબ પવિત્ર છે.
શ્રી ભરતરાજાએ ભરાવેલ શ્રી ઋષભદેવ ભગવાનનાં મણિમય રત્નનાં, અલૌકિક ભગવાનના કદનાં પ્રતિમાજી રાયણવૃક્ષ નીચે ભંડાર્યા છે. દેવ-દેવીઓ રોજ તેમની ભકિત કરવા આવે છે. રાયણવૃક્ષ નીચે શ્રી ઋષભદેવ ભગવાન ફાગણ સુદ ૮ના રોજ પૂર્વ નવ્વાણું વાર એટલે ૬૯, ૮૫, ૪૪,૦૦૦૦૦૦૦૦૦૦ વાર ઘેટીની પાગવાળા રસ્તે થઈને રાયણવૃક્ષ નીચે સમવસર્યા હતા અને ધર્મદશના આપી હતી. શ્રી નેમિનાથ ભગવાન સિવાયના બાકીના ૨૩ તીર્થંકર પરમાત્માઓ રાયણવૃક્ષ નીચે સમવસર્યા હતા અને વિશ્વને ધર્મસંદેશ આપ્યો હતો. આ સ્થાનને આપણા કોટિ કોટિ વંદણા. ભવિષ્યમાં જે જે તીર્થકરો આવશે તેઓ બધા અહી સમવસરશે.
આદીશ્વર દાદાનાં પગલાં કરમાશાએ સંવત ૧૫૮૭માં પધરાવેલ છે.
આરસની કમાનદાર નકશીવાળી સુંદર દેરીમાં ઉપર આદીશ્વર ભગવાનની મનોહર, સુવર્ણમય, આકર્ષક મૂર્તિ છે. નીચે ગિરનાર, સમેતશિખર અને આબુનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org