________________
રાયણવૃક્ષ દશ્યો છે. અહીં દેરી પાસે સર્પ મયૂરની આકૃતિઓ છે. ગિરિરાજની માફક આ રાયણવૃક્ષ પણ પ્રાયઃ શાશ્વત ગણાય છે. આ વૃક્ષ પણ તીર્થની માફક વંદન કરવા યોગ્ય છે. રાયણવૃક્ષના દરેક પત્ર, ફળ અને શાખાઓ ઉપર દેવતાઓનો વાસ છે. ઘણા ભાવિકો અહીં નીચે પડેલા રાયણના સૂકાં પાંદડા લઈ લે છે અને યાત્રાની અનુમોદના માટે પૂજાના કબાટમાંકે પૂજાની પેટીમાં રાખે છે. નીચેની બન્ને રચનાઓ રાયણવૃક્ષનો મહિમા સમજાવે છે : પ્રભુજી આવ્યા રાયણ પગલાં,
ભગવંત પૂર્વ નવ્વાણું સમવસર્યા રે લોલ, પ્રભુજી ભરતે ભરાવેલ રત્ન પ્રતિમા,
રાયણ નીચે ઈદ્ર પૂજતા રે લોલ. પ્રભુજી આવ્યા નમિનિમી,
ભરત બાહુબલિજી રે લોલ, પ્રભુજી વિજય શેઠ શેઠાણી,
ચોવીશ તીર્થકર નમું રે લોલ. (૨૧) (શ્રી તીર્થદર્શન સ્તવન. રચયિતા - શ્રી વીરવિજયજી) આદિસરની મૂળ પ્રતિમા, ભરતેસરે કીધી, પાંચસે ધનુષની રત્નમેં, કરી મુગતિ જ લીધી, તે પ્રતિમા શેત્રુંજે છે, પણ કોય ન દેખે, જે ત્રીજે ભવે મુગતિ લહે, નર સહિજ પેખે.
(વિમલહર્ષના શિષ્ય પ્રેમવિજયના સ્તવનમાંથી) શ્રી ગણધર પગલાદેરા-રાયણપગલાંની દેરીની આગળ વધતાં ૧૪પર ગણધર પગલાંનું દેરાસર આવે છે. આ ગણધર-પગલાંની પ્રતિષ્ઠા વિ. સં. ૧૬૮૨ જેઠ વદ ૧૦ને શુક્રવાર, જેસલમેર-નિવાસી લોદ્રવામાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવનાર ઓસવાલ ભંડારી શ્રી બાહટે કરાવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org