________________
૭૫
તીર્થાધિરાજનો દરબાર હીરવિજયસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી.
મંદિર ઉપરમધ્ય ભાગમાં શ્રી ચૌમુખજી અને ચારેબાજુ ફરતા ગોખલાઓમાં . પ્રતિમાજીઓ તથા ગૌતમસ્વામી છે. દાદાનું મંદિર મોટું અને મનોહર છે. મંદિરના શિખર પર સોનાથી રસેલો કળશ છે.
દાદાના મંદિરમાં પેસતાં ત્રણ શિલાલેખો છે : (૧) શેઠ કરમાશાહના ઉદ્ધારનો સંવત ૧૫૮૭ (૨) તેજપાળ સોનીના ઉદ્ધારનો સંવત ૧૬૫૦ (૩) અકબર બાદશાહે શત્રુંજયને કર માફ કર્યો ને સાધુઓએ ક્ષમા કરી.
દાદાની ટૂકને ત્રણ પ્રદક્ષિણા દેવાથી બધાં નાનાં-મોટાં મંદિરો અને દહેરીઓની પ્રતિમાજીઓનાં દર્શન થાય છે. ત્રણ પ્રદક્ષિણાનો અર્થ એ છે કે જ્ઞાન, દર્શન, ચારિત્રની પ્રાપ્તિ કરી ભવનો ફેરો ટાળવો.
પહેલી પ્રદક્ષિણા સહકુટનું મંદિર-દાદાના દેરાસરની ડાબી બાજુ આ મંદિર છે. સંવત ૧૭૧૮માં આઅનિવાસી વર્ધમાનના પુત્ર માનસિંહ આદિ પાંચ ભાઈઓએ પોતાના પિતાજીના સ્મરણાર્થે આ સહસ્રટનું મંદિર બંધાવ્યું હતું, અને તેની પ્રતિષ્ઠા ઉપાધ્યાય શ્રી વિનયવિજય પાસે કરાવી હતી. આ મંદિરમાં ચારે બાજુ થઈ ૧૦૨૪ પ્રતિમાજી બિરાજમાન છે. ૨૪૦ ૫ ભરત, ૫ ઐરાવત એ દશ ક્ષેત્રના વર્તમાનકાળની ચોવીસીઓ
(૨૪૪૧૦=૨૪૦.). દશ ક્ષેત્રના ભૂતકાળની ચોવીસી (૨૪૦).
દશ ક્ષેત્રના ભાવી કાળની ચોવીસી (૨૪૦). ૧૨૦. ચોવીસ તીર્થકર ભગવંતનાં ૫-૫ કલ્યાણકો
(૨૪*૫=૧૨૦). પાંચ મહાવિદેહ ક્ષેત્રના ઉત્કૃષ્ટકાળે તીર્થકરો (૩૨*૫=૧૬૦). પાંચ મહાવિદેહ ક્ષેત્રના જઘન્યકાળ તીર્થકરો (૪*૫=૦૦).
શાશ્વતજિન. ૧૦૨૪
૨૪૦
૨૪૦
૧૦
૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org