________________
તીર્થાધિરાજનો દરબાર
FrITY
રતનપોળમાં પગથિયાં ચઢતાં મધ્યભાગમાં ભવ્ય ગગનચુંબી ઊંચા મનોહર શિખરવાળું ઘુમ્મટોની હારમાળાથી સુશોભિત મોટું મંદિર મૂળનાયક તીર્થાધિપતિ દાદાશ્રી આદીશ્વર ભગવાનનું નજરે પડે છે. દાદાનાં દર્શન થતાં યાત્રિકોનાં શિર ઝૂકી પડે છે.
ભરત મહારાજાથી માંડીને કરમાશા સુધીના મોટા સોળ ઉદ્ધાર થયા છે. વર્તમાનકાળમાં જે મંદિર છે, તે સંવત ૧ર૧૩માં બાહડ મંત્રીએ બનાવેલ છે. જ્યારે મૂળનાયક સંવત ૧૫૮૭માં કરમાશાએ પધરાવેલ છે. દાદાનું પરિકર અમદાવાદના શ્રી શાંતિદાસ શેઠે બનાવરાવી ને સંવત ૧૬૭૦માં શ્રી વિજયદેવસૂરિ મહારાજ પાસે પ્રતિષ્ઠિત કરાવેલ છે. ચાંદીની મનોહર છત્રીમાં દાદા બિરાજમાન છે. દાદાની પાસે નમિવિનમિ કાઉસગિયા છે. દાદાની સામે હાથી ઉપર શ્રી ઋષભદેવ ભગવાનનાં માતુશ્રી મરુદેવી બિરાજમાન છે. તેની પાસે સુનંદા અને સુમંગલાની મૂર્તિઓ છે. રંગમંડપમાં ડાબા હાથે ગોખલામાં શ્રી પાર્શ્વનાથ તથા શ્રી મહાવીરસ્વામીની મનોહર મૂર્તિઓ છે.
દાદાનાં દર્શન કરતાં હૃદય નાચી ઊઠે છે, આત્મા પ્રફુલ્લ બને છે, જગતના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org