________________
ભારતનાં મુખ્ય જૈન તીર્થો
હાથીપોળ હાથીપોળનો નવો દરવાજોઘણો સુંદર તથા ભવ્ય બનાવ્યો છે. બંને બાજુએ. પાષાણનાં સુંદર હાથીઓ છે. જુદાં જુદાં જૈન સંઘોએ પાલીતાણામાં એકત્ર થઈને સંવત ૧૮૬૭ ચૈત્ર સુદ પૂનમે ઐતિહાસિક ઠરાવ કર્યો. જેનો શિલાલેખ હાથીપોળ ના દ્વારની ડાબી બાજુએ લગાડેલો છે કે હાથીપોળમાં નવું દેરાસર કોઈએ બંધાવવું નહિ.
હાથીપોળની અંદર પ્રવેશીએ એટલે જમણા હાથે ફૂલવાળા બેસે છે. ફૂલોને સોયથી વીંધીને બનાવેલા હારો, પ્રભુને ચઢાવાય નહિ તથા પૂજા-પૂજનમાં વપરાય નહિ. દોષ લાગે, ભગવાનને છૂટો ફૂલો ચઢાવવા, ડાબી બાજુએ ભાઈઓ તથા બહેનો માટે સ્નાન કરવાની તથા પૂજાના કપડાંની વ્યવસ્થા છે તથા કેશર-સુખડ ઘસવા માટેની ઓરડી છે. નહાવા માટે ઠંડાં-ગરમ પાણી મળે છે.
૨તનપોળ પુંડરીકસ્વામીના દેરાસરની નીચેના ભાગમાં આવેલ પગથિયાં ચઢતાં સૌ પ્રથમ તીર્થાધિરાજ શ્રી ઋષભદેવ ભગવાનના મુખ્ય મંદિરનાં દર્શન થાય છે. આગળ વિશાળ ચોકમાં મંડપ છે. ચોકની વચ્ચે ચાંદીનું સિંહાસન છે, જે સ્નાત્ર-પૂજા તથા પૂજા માટે રાખેલ છે. ગવૈયાની સગવડ છે. નકરો આપવાથી સ્નાત્ર-પૂજા તથા પૂજા ભણાવી આપે છે. દાદાને પ્રક્ષાલ તથા પૂજા કરવા માટે લાઈનબંધ ઊભા રહેવા માટેની રેલિંગ છે. મંડપને કારણે દાદાના દેરાસરની ભવ્યતા ઢંકાઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org